________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અનુભવ પ્રકાશ પ્રમાણ ક્યાંથી હોત ? અપ્રમાણ થતાં (તેને) કોણ માનત? વસ્તુત્વ વિના પ્રમાણ કોનું કહીએ? અસ્તિત્વ વિના વસ્તુત્વ કોના આધારે કહીએ ? પ્રદેશત્વ વિના અસ્તિત્વ કોનું નિરૂપીએ? પ્રભુત્વ વિના પ્રદેશ પ્રભુતા ક્યાંથી રહેત? વિભુત્વ વિના પ્રભુતા સર્વમાં કેવી રીતે લાપત? જીવત્વ વિના પ્રભુત્વ અજીવ હોત. ચેતના વિના જીવત્વ ક્યાં વર્તત?
જ્ઞાન વિના ચેતનનું વિશેષ જાણવામાં ન આવત. દર્શન વિના સામાન્ય વિશેષ જ્ઞાન ન રહેત, સર્વજ્ઞતા વિના દર્શનને કોણ જાણત? સર્વદર્શિત્વ વિના જ્ઞાનને કોણ દેખત? ચારિત્ર ચેતના વિના દર્શનશાનની સ્થિરતા ક્યાં રહેત? પરિણામાત્મકત્વ (પરિણામસ્વરૂપપણા) વિના ચિત્ (ચેતન) ચિઢિલાસને ક્યાંથી કરત? અકારણ કાર્યત્વ વિના પર કાર્ય થતાં, નિજકાર્યનો અભાવ થાત. અસંકુચિતત્ત્વ વિના અવિનાશી ચેતનાનો વિલાસ સંકોચમાં આવત. ત્યાગોપાદાનશૂન્યત્વ વિના ગ્રહણત્યાગ લાગ્યો રહેત. અકર્તુત્વ વિના કર્મનો કર્તા હોત. અભોક્તતૃત્વ વિના પરભાવને ભોગવત અસાધારણ વિના ચેતન-અચેતનનો ભેદ ન પડત. સાધારણ વિના કોઈ પદાર્થ સત્ હોત, કોઈ અસત્ હોત. તત્ત્વ વિના વસ્તુ સ્વરૂપને ન ધરત. અતત્ત્વ વિના પરનું તત્ત્વ (નિજમાં) આવત. ભાવ વિના સ્વભાવનો અભાવ હોત. ભાવ ભાવ વિના ભૂતકાળનો ભાવ ભવિષ્યકાળમાં ન રહેત. ભાવાભાવ વિના પરિણમન સમયમાત્ર ( સમય સમયનું) ન સંભવત. અભાવભાવ વિના અનાગત (ભાવિ, ભવિષ્યનું) પરિણમન ન આવત. અભાવ વિના કર્મનો સદ્દભાવ (પોતામાં) જાણવામાં આવ્યા કરત. સર્વથા અભાવ-અભાવ વિના અતીતમાં (ભૂતકાળમાં) જે કર્મ અભાવરૂપ હતું તે અનાગત (ભવિષ્ય) કાળમાં અભાવરૂપ હોય એમ ન હોત. કર્તા વિના નિજકર્મનો કર્તા ન હોત. કર્મ વિના સ્વભાવ કર્મનો અભાવ હોત. કરણ વિના પરિણમન વડે જે સ્વરૂપનું સાધન હતું તે ન હોત. સંપ્રદાન વિના પરિણતિ સ્વરૂપમાં પોતે સમર્પણ કરી ન શકત (ન કરત). અપાદાન વિના પોતાના દ્વારા પોતાવડે પોતે ન હોત. અધિકરણ વિના સર્વનો આધાર ન હોત. સ્વયંસિદ્ધ વિના
૧. ક. મુ. પ્રતમાં “સર્વથા' પાઠ નથી.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com