SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates Rા ૩ૐ નમ: સિદ્ધેશ્ય: TTTTTTTTT અ નુ ભ વ પ્ર કા શ મં ગ લા ચ ર ણ (દોહા) *ગુણ અનંતમય પરમપદ, શ્રીજિનવર ભગવાન; શેય લખતર હું જ્ઞાનમેં, અચલ સદા નિજસ્થાન. પરમદેવાધિદેવ, પરમાત્મા, પરમેશ્વર, પરમ પૂજ્ય, અમલ, અનુપમ, આનંદમય, અખંડિત, ભગવાન નિર્વાણનાથને નમસ્કાર કરી શ્રી અનુભવ પ્રકાશ નામનો ગ્રંથ કરું છું, જેના પ્રસાદથી પદાર્થનું સ્વરૂપ (યથાર્થ પ્રકારે) જાણી નિજ આનંદ ઉત્પન્ન થાય. પ્રથમ, આ લોક છ દ્રવ્યનો બન્યો છે. તેમાં પાંચ દ્રવ્યથી ભિન્ન સહજસ્વભાવરૂપ સચ્ચિદાનંદાદિ અનંતગુણમય ચિદાનંદ (આત્મા) છે. તે (ચિદાનંદ આત્મા) અનાદિના કર્મસંયોગથી અનાદિથી અશુદ્ધ થઈ રહ્યો છે. તેથી (તેણે) પરપદમાં પોતાને માની પરભાવ કર્યા તેથી જન્માદિ દુઃખ સહન કરે છે. આવી દુ:ખ પરિપાટી પોતાના અશુદ્ધ ચિત્તવનથી થઈ છે. (પણ) જો તે પોતાના (સહજ ) સ્વરૂપની સંભાળ કરે તો એક ક્ષણમાં સર્વ દુ:ખનો નાશ થાય, જેવું કાંઈ શાશ્વત આનંદમય પરમપદ છે તેને પામે. (એ પદ કાંઈ અન્ય વસ્તુ નથી પણ પોતાનું જ સ્વરૂપ છે.) તેની સંભાળ કરતાં ૧. અર્થ:- શ્રી જિનવર ભગવાન અનંતગુણમય પરમપદસ્વરૂપ છે. તેઓ નિજસ્થાનમાં સદા અચલ રહ્યા થકા જ્ઞાનમાં શયને જાણે છે. ૨. પાઠાન્તર- ‘નફ્ટ’ ૩. પાઠાન્તર- ‘નિરસ્થાન” ૪. પાઠાન્તર- ‘અનુમૌ ” Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008207
Book TitleAnubhav Prakash
Original Sutra AuthorN/A
AuthorDipchand Shah Kasliwal
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size691 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy