SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૯૧ અલિંગગ્રહણ ગાથા ૧૭૨] ૧૮માં બોલમાં ગુણભેદનો ગુણીમાં અભાવ બતાવી, અભેદ ગુણી તે સમ્યગ્દર્શનનો વિષય થાય છે એમ બતાવ્યું. ૧૯મા બોલમાં પ્રગટેલી સમ્યજ્ઞાનની પર્યાય છે તેને સામાન્ય ધ્રુવ જ્ઞાતાદરા સદશ સ્વભાવ અડતો નથી એમ બતાવી, સામાન્ય ધ્રુવ સદેશ સ્વભાવરૂપ આત્મા તે સમ્યગ્દર્શનનો વિષય છે એમ બતાવ્યું. ૨૦મા બોલમાં એમ કહે છે કે વર્તમાન નિર્મળ જ્ઞાન પર્યાય તે ધ્રુવ જ્ઞાનસ્વભાવને અડતો નથી. શુદ્ધ પર્યાય વર્તમાન પ્રગટ છે. છે તેની વાત છે. શુદ્ધ પર્યાય પૂર્વે ન હતી ને પછી ધ્રુવના લક્ષે પ્રગટશે તે સાપેક્ષતાની વાત જ લેવી નથી. શુદ્ધ પર્યાય છે, છે ને છે, સામાન્ય ધ્રુવ પણ છે. પણ શુદ્ધ પર્યાય સામાન્યને લીધે નથી કેમ કે વિશેષમાં સામાન્યનો અભાવ છે. શુદ્ધ પ્રગટેલી પર્યાય, નિમિત્તો-દેવ શાસ્ત્ર ગુરુ આવ્યા માટે પ્રગટી છે એમ નથી. શુદ્ધ પ્રગટેલી પર્યાય, પુણના શુભભાવ છે માટે પ્રગટી છે એમ નથી. શુદ્ધ પ્રગટેલી પર્યાય, સામાન્ય જ્ઞાનગુણ શક્તિરૂપે છે માટે પ્રગટી છે એમ પણ નથી. પૂર્વની અનુભૂતિને લીધે વર્તમાન અનુભૂતિ થઈ એમ પણ નથી. શુદ્ધ પર્યાય છે-તે નિરપેક્ષ છે, અહેતુક છે. આમ નક્કી કરતાં નિમિત્તો ઉપરથી ને શુભરાગ ઉપરથી લક્ષ તો છૂટે જ છે, તેમ જ વિશેષ અને સામાન્યના ભેદ ઉપરથી પણ લક્ષ છૂટી એકાકાર વસ્તુ ઉપર લક્ષ જાય છે. બધા ગુણો અસહાય કહ્યા છે, એક ગુણમાં બીજા ગુણનો Please inform us of any errors on [email protected]
SR No.008206
Book TitleAlinggrahan Pravachan
Original Sutra AuthorKundkundacharya
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1973
Total Pages99
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size442 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy