SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates અલિંગગ્રહણ ગાથા ૧૭૨ ] [ ૮૧ કરનાર કહો કે ધર્મરૂપે થનાર કહો-એક જ છે. સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રની પર્યાય તે ધર્મ છે. આત્માને જાણવાથી અવિકારી પરિણામ થાય અર્થાત્ ધર્મ થાય. હું શિષ્ય ! તું આત્માને અલિંગગ્રહણ જાણ. કોઈ ચિહ્ન દ્વારા તે ઓળખી શકાય એવો નથી. ૨૦ પ્રકાર જે કહ્યા છે તેવો આત્માને જાણ તો તેના લક્ષ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પર્યાય પ્રગટ થાય તેમ છે. પાંચ લાખ રૂપિયા કેવી રીતે પેદા થાય તેની રીત કોઈને બતાવવામાં આવે તો કેવી ગરજથી સાંભળે છે? તે રૂપિયા તો જડ છે. તેને મીઠા માની મમતા કરે છે. તે મમતા પૈસામાં નથી તેમ જ આત્મામાં પણ નથી. અજ્ઞાની જીવ મમતા નવી ઊભી કરે છે. આત્મવસ્તુમાં કૃત્રિમતા નથી, કૃત્રિમતા નવી નવી ઊભી કરે છે. તેને ટાળી સ્વભાવ સન્મુખ થવાથી સમતિની નવી પર્યાય પ્રગટ થાય છે. કેવા ચૈતન્ય સ્વરૂપ આત્મા ઉ૫૨ દૃષ્ટિ કરવાથી તે પ્રગટ થાય તેમ છે? આત્મા કોણ છે? તે આ બોલમાં કહે છે. હે ભવ્ય! તું આત્માને અલિંગગ્રહણ જાણ એમ કુંદકુંદાચાર્યદેવ કહે છે. આ ૧૮મા બોલમાં અલિંગગ્રહણનો અર્થ: અ=નહિ, લિંગ-ગુણ, ગ્રહણ=અર્થાવબોધ અથવા જ્ઞાન. લિંગ અને ગ્રહણના અર્થો જુદા પાડયા છે. જાઓ, લિંગનો અર્થ તો ગુણ કહ્યો છે પણ તે ગુણ તો સામાન્ય થયા. ગુણ તો ઘણા છે, તેમાંથી ક્યો ગુણ?–તો કે જ્ઞાનગુણ. ગ્રહણ શબ્દમાંથી જ્ઞાનગુણ કાઢેલ છે. એટલે આત્મા કે જેને જ્ઞાન ગુણ નથી એટલે કે જેમાં જ્ઞાન ગુણ અને આત્મા ગુણી એવો ભેદ નથી તે આત્મા શુદ્ઘ દ્રવ્ય છે. ૧. શરીર-મન-વાણીની ક્રિયા તો આત્મામાં નથી કારણ કે તે તો અજીવ પદાર્થ છે, માટે તેના લક્ષે ધર્મ થઈ શકે નહિ. Please inform us of any errors on [email protected]
SR No.008206
Book TitleAlinggrahan Pravachan
Original Sutra AuthorKundkundacharya
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1973
Total Pages99
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size442 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy