SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૮] [ પ્રવચનસાર પ્રવચનો આવી રીતે સ્વયનાં શ્રદ્ધા-જ્ઞાન કરવા તે ધર્મનું કારણ છે. (૨૦) શુદ્ધ પર્યાયની અનુભૂતિ તે જ આત્મા છે એમ સ્વજોયને તું જાણ. લિંગ એટલે કે પ્રત્યભિજ્ઞાનનું કારણ એવું જે ગ્રહણ એટલે કે અર્થાવબોધ સામાન્ય છે જેને નથી તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા, દ્રવ્યથી નહિ આલિંગિત એવો શુદ્ધપર્યાય છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. સમ્યજ્ઞાનનો પર્યાય ત્રિકાળી જ્ઞાનગુણને સ્પર્શતો નથી, એમ અહીં કહેવું છે. લિંગ એટલે પ્રત્યભિજ્ઞાનનું કારણ, ગ્રહણ એટલે અર્થાવબોધ સામાન્ય એટલે ત્રિકાળી જ્ઞાનગુણ, પ્રત્યભિજ્ઞાન એટલે કે આ તે જ છે એવું જે ભૂત-વર્તમાનની સંધિવાળું જ્ઞાન તે પ્રત્યભિજ્ઞાન છે. પૂર્વની સ્મૃતિ અને પ્રત્યક્ષના જોડરૂપ જ્ઞાનને પ્રત્યભિજ્ઞાન કહે છે. એવા પ્રત્યભિજ્ઞાનનું કારણ સામાન્ય ત્રિકાળી ગુણ છે. આત્મા તે સામાન્ય ત્રિકાળી ગુણને નહિ સ્પર્શતો એવો શુદ્ધપર્યાય છે-એમ કહેવું છે. સમ્યજ્ઞાનની પર્યાય જે છે તે શરીરને લીધે નથી, શુભભાવને લીધે નથી, તેમ જ ત્રિકાળી જ્ઞાનગુણ સામાન્ય જે શક્તિરૂપ છે તેને લીધે પણ નથી. જો તે પર્યાય દ્રવ્યને લીધે છે એમ કહો તો પર્યાયનું ‘છે પણું રહેતું નથી, અહેતુક સારું રહેતું નથી. ૧૮મા બોલમાં કહ્યું હતું કે આત્મદ્રવ્ય સામાન્ય અભેદ છે, તે ગુણભેદ-વિશેષને સ્પર્શતું નથી. ૧૯મા બોલમાં કહ્યું હતું કે આત્મદ્રવ્ય સામાન્ય તે પર્યાયના ભેદ-વિશેષને સ્પર્શતું નથી. ૨૦માં બોલમાં એનાથી ઝીણી વાત છે. સાધકદશામાં જે સમ્યજ્ઞાનની પર્યાય છે અથવા મોક્ષમાં કેવળજ્ઞાનની જે પર્યાય છે તે વિશેષ છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com 'લા.
SR No.008206
Book TitleAlinggrahan Pravachan
Original Sutra AuthorKundkundacharya
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1973
Total Pages99
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size442 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy