SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૬ ] [ પ્રવચનસાર પ્રવચનો જેટલું જ નથી એમ કહીને પર્યાય-અંશ ઉપરનું લક્ષ છોડાવવું છે અને અંશી દ્રવ્યની શ્રદ્ધા કરાવવી છે. આત્મા સામાન્ય એકરૂપ છે તે સમયસમયની પર્યાયમય થઈ જાય તો દ્રવ્ય અને પર્યાય બે ભિન્ન રહેતાં નથી અને પર્યાય જેમ ક્ષણિક છે તેમ દ્રવ્ય પણ ક્ષણિક થઈ જાય, એટલે કે દ્રવ્ય અનાદિઅનંત રહે નહિ. પ્રવાહરૂપે અનાદિના જે વિકારી પરિણામ તે કર્યા છે તેને તો આત્મા કદી અડયો નથી, સ્પર્યો નથી, એકરૂપ થયો નથી. અજ્ઞાની ભલે માને કે હું આખો વિકારી થઈ ગયો પરંતુ તેનો આત્મા પણ ઊંધી માન્યતા વખતે દ્રવ્યદૃષ્ટિએ તો વિકાર રહિત જ છે કારણ કે શુદ્ધ દ્રવ્ય જો વિકારમય થઈ જાય તો વિકાર રહિત થવાનો કદી પ્રસંગ બને નહિ, અહીં તો એ વાત જ નથી. અહીં તો એથી પણ આગળ વાત કહેવી છે કે આત્મા જ્ઞાતાદષ્ટા શુદ્ધ સ્વભાવી છે તેનાં શ્રદ્ધા-શાન કરીને જે નિર્મળ પર્યાય પ્રગટે છે તે પર્યાયને પણ આત્મા સ્પર્શતો નથી, આલિંગન કરતો નથી, પરંતુ આત્મા નિત્ય શુદ્ધ દ્રવ્ય છે. આવો તારો જ્ઞય સ્વભાવ છે. જેવો શેય સ્વભાવ છે તેવો જાણ તો સમ્યગ્દર્શન-જ્ઞાન પ્રગટે. આવી અપૂર્વ વાત અનંતકાળે શ્રવણ કરવા મળે છે. યથાર્થ સમજણ કરીને સમ્યક પ્રતીતિ કરે તો ધર્મ થાય, પણ જેને આ વાત સાંભળવા પણ મળી નથી તેને તો ધર્મ ક્યાંથી થાય? ન જ થાય. પ્રશ્ન: દ્રવ્ય પર્યાયને અડતું નથી એમ કહો છો તો શું દ્રવ્ય પર્યાય વિનાનું હશે? ઉત્તર: દ્રવ્ય સામાન્ય નિશ્ચયથી તો પર્યાય વિનાનું છે. દ્રવ્ય Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008206
Book TitleAlinggrahan Pravachan
Original Sutra AuthorKundkundacharya
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1973
Total Pages99
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size442 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy