SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ૧૮ ] [પ્રવચનસાર પ્રવચનો થાય છે અને ત્યારે અનુમાનનો અભાવ થાય છે. તેથી અહીં કેવળ અનુમાનથી જાણતો નથી એમ કહ્યું છે. સ્વસંવેદન જ્ઞાન વિના ૫૨ પદાર્થોનું જ્ઞાન યથાર્થ નથી. આત્મા પોતાને તો અનુમાનથી જાણતો નથી પણ અન્ય જીવોને, શરીરને તથા ૫૨૫દાર્થોને કેવળ અનુમાનથી જાણે તેવો પણ તેનો સ્વભાવ નથી. કેવળ અનુમાન જ્ઞાનથી ૫૨૫દાર્થોનું જ્ઞાન કરવું તે યથાર્થ જ્ઞાન નથી. આ રીતે આત્મા કેવળ અનુમાન કરનારો જ નથી એવા ભાવની પ્રાપ્તિ થાય છે. દેવ, ગુરુ, સ્ત્રી, કુટુંબકબીલો, તેમજ નિગોદથી માંડીને સિદ્ધ સુધીના બધા જીવોને કેવળ અનુમાન કરી જાણી લેવાય તેવો તે જ્ઞેયોનો સ્વભાવ નથી. અંશે સ્વસંવેદન પ્રત્યક્ષ જ્ઞાન હોવું જોઈએ, સ્વસંવેદન સહિત અનુમાન જ્ઞાન દ્વારા જાણે તે જ યથાર્થ જ્ઞાન કહેવાય. સ્વસંવેદન વગર એકલું અનુમાન તે સાચું અનુમાન પણ કહેવાતું નથી. ક્રિયાનું સ્વરૂપ. કોઈ પ્રશ્ન કરે કે આ બધું જાણ્યા પછી તો અમારી માનેલી ક્રિયા કરવી ખરીને ? સમજણપૂર્વક ક્રિયા કરીએ તો શું વાંધો? સમાધાનઃ સમજણપૂર્વક ક્રિયામાં રાગની ને શ૨ી૨ની ક્રિયા આવતી નથી. આત્માના ભાન વિના વિધિ કહેવી કોને? જો તને સાચી સમજણ થઈ હશે તો આ પ્રશ્ન જ થશે નહિ કારણ કે સમજણ કહેતાં જ તેમાં જ્ઞાનની ક્રિયા આવે છે, ને શરીર તથા રાગની ક્રિયાનો નિષેધ થાય છે. પ્રશ્ન: જ્ઞાનપૂર્વક ક્રિયામાં અમારી માનેલી ક્રિયાનું મિશ્રપણું કરીએ તો? Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
SR No.008206
Book TitleAlinggrahan Pravachan
Original Sutra AuthorKundkundacharya
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1973
Total Pages99
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size442 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy