________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬ ]
[ પ્રવચનસાર પ્રવચનો તે એંધાણથી આત્મા ઓળખી શકાતો નથી. જેમ તાવનું માપ થરર્મોમિટર દ્વારા જણાય છે તેમ બાહ્ય કોઈ ચિલથી આત્મા ઓળખાતો નથી. અહીં ઈન્દ્રિયોના અનુમાનની આત્માના જાણપણા માટે જરૂર નથી એમ કહેવામાં આવ્યું છે.
કોઈ કહે કે આત્મા આત્માના જ્ઞાન દ્વારા ઓળખાય અને પરપદાર્થો ઈન્દ્રિયો દ્વારા ઓળખાય તો તે સ્થૂલ અજ્ઞાન છે. કોઈ પણ પદાર્થ ઇન્દ્રિયથી જણાતો નથી, જ્ઞાનથી જણાય છે. વળી આત્મા નિશ્ચયથી આત્મા દ્વારા ઓળખાય ને વ્યવહારથી ઇન્દ્રિયોદ્વારા ઓળખાય એમ જ કહે છે તે પણ ભૂલ છે, તે મિથ્યા અનેકાન્ત છે. આત્મા આત્માદ્વારા જ ઓળખાય ને બીજા કોઈ ચિહ્ન-ઇન્દ્રિયો કે ઇન્દ્રિયોના અનુમાન દ્વારા ન ઓળખાય તે જ સમ્યક અનેકાન્ત છે ને તે ધર્મ છે.
અહીં અલિંગગ્રહણનો અર્થ એવો છે કે અન્નનહિ, લિંગઇન્દ્રિયોથી જણાવા યોગ્ય ચિહ્ન, ગ્રહણ=જાણવું. એટલે આત્મા કોઈ ઇન્દ્રિયગમ્ય ચિહ્નથી જણાતો નથી. જેમકે શરીર નાનામાંથી મોટું થાય તેવા બાહ્ય ચિતથી આત્મા નક્કી થતો નથી માટે આત્મા ઇન્દ્રિયપ્રત્યક્ષપૂર્વક અનુમાનનો વિષય નથી–એવો તેમાંથી અર્થ નીકળે છે. આત્મા એવો શેય પદાર્થ છે કે તે સીધો જ્ઞાનથી જણાય-તેમાં ઇન્દ્રિયના અનુમાનની જરૂર નથી. (૪) આત્મા કેવળ અનુમાનથી જ જણાય એવો તે
શેય પદાર્થ નથી. બીજા આત્મા વડે માત્ર અનુમાન દ્વારા જણાય એવો જીવનો સ્વભાવ નથી. અહીં અલિંગગ્રહણનો અર્થ: અ નહિ, લિંગ=અનુમાનજ્ઞાન અને ગ્રહણ=જાણવું. અર્થાત્ આત્મા માત્ર અનુમાનજ્ઞાનનો વિષય થાય તેવો તે જ્ઞય પદાર્થ નથી. અહીં માત્ર અનુમાન” કહ્યું છે. માત્ર” કહેવાનું તાત્પર્ય એ છે કે આત્મા અંશે સ્વસંવેદન સહિત અનુમાનનો વિષય છે ખરો, પણ કેવળ અનુમાનનો વિષય નથી. જો આત્મા કેવળ અનુમાનનો જ વિષય હોય તો આત્મા કદી પણ પ્રત્યક્ષજ્ઞાનનો વિષય થઈ શકે નહિ.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com