________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪]
[ પ્રવચનસાર પ્રવચનો અલિંગગ્રહણ કહેવાનું કારણ એ છે કે આત્મા જ્ઞાન-દર્શન આદિ અનંત ગુણો તથા પર્યાયોનો પિંડ છે. તે જ્ઞય પદાર્થ ઈન્દ્રિયોથી કામ કરે તેવો તેનો સ્વભાવ નથી. ઇન્દ્રિયના અવલંબન વિના પોતાથી જ્ઞાન કરે તેવો તે જ્ઞયનો સ્વભાવ છે. જેવાં જ્ઞયો છે તેવો જ્ઞયનો સ્વભાવ જાણે ને સ્વસમ્મુખ થઈ શ્રદ્ધા કરે તો ધર્મ થાય. વિરુદ્ધ જાણે તો ધર્મ ક્યાંથી થાય? ન થાય, માટે આત્મા ઇન્દ્રિયો વડ જ્ઞાન કરે તેવો તે જ્ઞય પદાર્થ નથી.
(૨) આત્મા ઇન્દ્રિયોથી જણાય તેવો તે શેયપદાર્થ નથી.
બીજો બોલ-આમા ઇન્દ્રિયો વડે જણાય એવો તે શેય પદાર્થ નથી, અંતર્મુખ જોવાથી જણાય એવો છે. આ જ્ઞય અધિકાર છે, બીજી રીતે કહીએ તો સમ્યગ્દર્શન અધિકાર છે. ઇન્દ્રિયોથી જણાય તે આત્મા નથી. સમ્યગ્દર્શનનો વિષય આત્મા છે માટે ઇન્દ્રિયો વડે સમ્યગ્દર્શન થતું નથી એટલે કે ધર્મ થતો નથી.
આત્મા વસ્તુ શય છે. જ્ઞય કહો કે પ્રમેય કહો–બ એક જ છે. જગતની અંદર જે સ્વ-પર પ્રમેય છે તે કોઈ ને કોઈ જ્ઞાનનો વિષય જરૂર થાય કારણ કે તેમાં પ્રયત્ન નામનો ગુણ છે. આત્મા ઇન્દ્રિયો વડ જ્ઞાન કરે તેવો તેનો સ્વભાવ નથી, ઈન્દ્રિય દ્વારા જ્ઞાન કરે તો તે પ્રમાણ રહેતું નથી. પ્રમેયને જ્ઞાનમાં જણાવા યોગ્ય કહેલ છે પણ ઇન્દ્રિયોથી જણાવા યોગ્ય કહેલ નથી. છયે દ્રવ્યો પોતાના પ્રમેયત્વ ગુણના કારણે કોઈ ને કોઈ જ્ઞાનનો વિષય થાય છે તેમ કહ્યું છે, પણ ઇન્દ્રિયો વડે જણાય તેવું તેનું સ્વરૂપ નથી. આત્મવસ્તુ જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે અનંત શક્તિનો પિંડ છે. તે પ્રમેય ઇન્દ્રિયોનો વિષય થાય તેમ નથી. આત્મા પ્રમાતા ને પ્રમેય બને છે. જગતના પદાર્થો પ્રમેય છે. ઈન્દ્રિયો પ્રમેય છે. તે પ્રમેયમાં પણ એવી તાકાત નથી કે તે આત્માને જાણે ને આત્મા સ્વ પ્રમેય છે, તેનો સ્વભાવ એવો નથી કે તે ઇન્દ્રિયોથી જણાય.
પ્રશ્ન:- તો પછી ઇન્દ્રિયો જીવને કેમ મળી છે? તથા તેને ઇન્દ્રિયવાળો કેમ કહ્યો છે?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com