SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨] [ પ્રવચનસાર પ્રવચનો પણ યથાર્થ ખ્યાલમાં આવે છે કે પૂર્વે શાસ્ત્ર તથા વાણી તરફ લક્ષ હતું. સ્વ-પર પ્રકાશક સ્વભાવ ખીલતાં પરનું યથાર્થ જ્ઞાન થાય છે. શાસ્ત્ર, શબ્દ, કાન, આંખમાં આત્મા નથી તો પછી શાસ્ત્ર તથા વાણી વડે આત્મા કેમ જણાય? ન જ જણાય. પણ આત્મા પોતાના જ્ઞાયકસ્વભાવ વડે જ જણાય એવો છે. આ વાત લોકોએ સાંભળી જ નથી તેમ જ કાને પડી નથી. તેથી મોંઘી લાગે છે. વાણીથી ધર્મ નથી તો પછી વાણી સાંભળવાની શી જરૂર છે? પ્રશ્ન: હમણાં આપ જ કહો છો કે કાન તથા વાણીથી જ્ઞાન થતું નથી. વળી કહો છો કે આ વાત કાને પડી નથી. તો પછી આ વાત કાને પાડવાની ને સાંભળવાની શી જરૂર છે? કારણ કે કાન તથા વાણીથી તો આત્માનું જ્ઞાન થતું નથી એમ તો આપ કહો છો. સમાધાન: “કાને પડી નથી” એમ જે કહ્યું તે તો નિમિત્તથી ને સંયોગથી વાત કરી છે, આવી વાત સાંભળવા મળી નથી એટલે કે તે જીવની પોતાની એવી લાયકાત પણ નથી એમ સમજવું. સમય સમયની સમજવાની પર્યાય તો સત્ છે. તે પર્યાય કાન તથા શબ્દને લીધે નથી. તેટલું સમજવાની લાયકાત તેનામાં નથી એટલે “વાત કાને પડી નથી” એમ કહેવામાં આવેલ છે. વળી આ વાત જેને કાને પડે ને પોતાના કારણે સમજે તો પણ તે જ્ઞાન ખંડખંડવાળું છે. તેનાથી પણ અખંડ આત્માને લાભ નથી. કારણ કે અંશથી અંશીને લાભ થઈ શકે નહિ. ખંડખંડ અપૂર્ણ જ્ઞાનની યોગ્યતા ઉપરનું લક્ષ ઉઠાવી અખંડ પરિપૂર્ણ ઉપર લક્ષ કરે તો આત્માને ધર્મ થાય છે, તો પછી જેને ખંડખંડ જ્ઞાનવાળી યોગ્યતા પણ પ્રાપ્ત કરી નથી, જેને નિમિત્તરૂપે અવિરોધ વાણી કાને પડી નથી એટલે કે વ્યવહાર દેશનાલબ્ધિનું Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008206
Book TitleAlinggrahan Pravachan
Original Sutra AuthorKundkundacharya
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1973
Total Pages99
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size442 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy