SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ ] Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates [પ્રવચનસાર પ્રવચનો આત્મા અતીન્દ્રિય જ્ઞાનમય છે. આ પ્રમાણે આત્મા અલિંગગ્રહણ છે. અ=નહિં, લિંગ=ઈન્દ્રિયો, ને ગ્રહણ=જાણવું. એટલે કે આત્માને ઈન્દ્રિયો વડે જાણવું થતું નથી માટે અલિંગગ્રહણ છે. તેથી આત્મા અતીન્દ્રિય જ્ઞાનમય છે એવા ભાવની પ્રાપ્તિ થાય છે. અતીન્દ્રિય જ્ઞાનમય એટલે ઈન્દ્રિય ને મન વગરનો છે એમ નક્કી થાય છે. ક્યારે ? કેવળજ્ઞાન થયા પછી ?-કે ના. કેવળજ્ઞાની તો અતીન્દ્રિય જ્ઞાનમય જ છે, પણ છદ્મસ્થ જીવ છદ્મસ્થ દશામાં પણ ઇન્દ્રિયો વડે જાણતો નથી. આમ છતાં હું ઇન્દ્રિયોથી જાણું છું એમ અજ્ઞાની અજ્ઞાનને કારણે માને છે તે સંસાર છે. માટે ઇન્દ્રિય ઉપરનું લક્ષ છોડી, જ્ઞાયકસ્વભાવનું લક્ષ કરે તેને ખરેખર અતીન્દ્રિય ભાવની પ્રાપ્તિ પોતામાં થાય છે. જે સ્વને જાણે છે તે જ દેવ-શાસ્ત્ર-ગુરુને યથાર્થ જાણે છે. જ અહીં કોઈ પ્રશ્ન કરે કે આવું સ્વતંત્ર માનવાથી એકબીજાની કોઈ મદદ લેશે નહિ, શુષ્ક થઈ જશે ને દેવ-શાસ્ત્ર-ગુરુને માનશે નહિ તો ? સમાધાનઃ- ભાઈ, એ બધી તારી ભ્રમણા છે. જે સાચું સમજે છે તે જ દેવ-શાસ્ત્ર-ગુરુને યથાર્થ સમજે છે. કારણ કે દેવ-શાસ્ત્ર-ગુરુ કહે છે કે તું તારા શાયકસ્વભાવથી જાણે છે, ઇન્દ્રિયોથી કે દેવ-શાસ્ત્રગુરુથી જાણતો નથી. એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના બધા જીવોની તાકાત સ્વ-પરને જાણવાની પોતાથી છે એમ જે પોતાના જ્ઞાનસ્વભાવને યથાર્થ જાણે છે તે જ જીવ પરને યથાર્થ જાણે છે. દેવશાસ્ત્રગુરુ વગેરે ૫૨૫દાર્થોની હયાતી છે માટે ૫૨ જણાય છે એ વાત સાચી નથી. પણ સ્વ આત્માને જાણતાં ૫૨૫દાર્થો સ્વમાં જણાઈ જાય છે. એવી સાચી પ્રતીતિ ને જ્ઞાનમાં જ કેવળજ્ઞાનનો વિકાસ છે. ૫૨ એવા દેવ-શાસ્ત્ર-ગુરુને સાચા માન્યા ક્યારે કહેવાય? કે ૫૨ એવા દેવ-શાસ્ત્ર-ગુરુથી તથા ઇન્દ્રિયોથી હું જાણતો નથી, પણ પોતાને જાણતાં પર જણાઈ જાય છે એમ નક્કી કરે તો. ને તે જ જીવે દેવ-શાસ્ત્રગુરુને યથાર્થ માન્યા ને જાણ્યા કહેવાય. Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
SR No.008206
Book TitleAlinggrahan Pravachan
Original Sutra AuthorKundkundacharya
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1973
Total Pages99
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size442 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy