SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૪ : અકલંક-નિકલંક અકલંક (વાત્સલ્યપૂર્વક સંઘશ્રીના ખભે હાથ મૂકીને) : શાંત થાય.. બંધુ! ખુશીથી જૈનધર્મના શરણે આવો. જૈનધર્મનાં દ્વાર બધાને માટે ખુલ્લાં છે.. આવો.. આવો.... જેને પોતાનું કલ્યાણ કરવું હોય તે જૈનધર્મના શરણે આવો.. ભાઈ, પૂર્વે જે કાંઈ થઈ ગયું તે બધું હવે ભૂલી જાઓ ને શાંતચિત્તે જૈનધર્મની આરાધના કરો. સંઘશ્રી : અહા ! જૈનધર્મની મહત્તા હવે મને સમજાય છે, ને મારી પૂર્વની ભૂલોનો મને પશ્ચાત્તાપ થાય છે. –એ જ બતાવે છે કે આત્મા નિત્ય તેમ જ અનિત્ય એવા અનેકાન્તસ્વરૂપ છે. જો પૂર્વે ભૂલ કરનાર પોતે નિત્ય ન હોય તો અત્યારે પશ્ચાત્તાપ કેમ થાય? શું ભૂલ એક કરે ને પશ્ચાત્તાપ બીજો કરે એમ સંભવે ખરું? ના; માટે આત્માની નિત્યતા છે એમ બરાબર સમજાય છે; અને ભૂલ ટળીને યથાર્થતા પ્રગટી શકે છે–એ જ સૂચવે છે કે અનિત્યતા પણ છે. આ રીતે જૈનશાસનના પ્રતાપે મને અનેકાન્તમય વસ્તુસ્વરૂપ સમજાયું છે... તમારા જ પ્રતાપે મને અપૂર્વ શાંતિનો માર્ગ હાથ આવ્યો છે... હું આપનો મહાન ઉપકાર માનું છું.... ને મને જૈનધર્મનો સ્વીકાર કરાવવા હું આપને પ્રાર્થના કરું છું. અકલંક : જુઓ, આ જિનેન્દ્રભગવાન બિરાજી રહ્યા છે; આવો... તેમનું શરણ લઈને જૈનધર્મ સ્વીકાર કરો. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008205
Book TitleAkalanknikalank
Original Sutra AuthorN/A
AuthorHarilal Jain
PublisherZZZ Unknown
Publication Year1971
Total Pages87
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size850 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy