________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનરથયાત્રામાં રૂકાવટ : પ૩ જૈનકુમાર : જી હા, મહારાજ! અમારે જૈનો તરફથી આ વાત
કબૂલ છે. રાજા : બોલો બુદ્ધકુમાર! તમારે? બુદ્ધકુમાર : મહારાજ! હું મારી માતાને પૂછી આવું.
(કુંવર જાય છે... થોડીવારે પાછો આવે છે.)
બુદ્ધકુમાર : મહારાજ! મારા માતાજીને પણ એ વાત કબૂલ છે.
અને અમારા બૌદ્ધધર્મ તરફથી આચાર્ય સંઘશ્રી પોતે જ
વાદવિવાદ કરશે. રાજા : સારું અને જૈનકુમાર! તમે પણ તમારા તરફથી
વાદવિવાદમાં કોણ ઊભું રહેશે, તે તમારી માતાને પૂછીને
જણાવજો. જૈનકુમાર : જેવી આશા. રાજા : મંત્રીજી! તમે આખી ઉર્જેનનગરીમાં ઢંઢેરો પીટાવી દેજો
કે આવતી કાલે રાજસભામાં જૈનો અને બૌદ્ધો વચ્ચે વાદવિવાદ થવાની છે, તે સાંભળવા માટે સમસ્ત
પ્રજાજનોને રાજદરબારમાં આવવાની છૂટ છે. મંત્રી : જેવી આજ્ઞા. રાજા : બસ, ત્યારે આજની સભા બરખાસ્ત થાય છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com