________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫) : અકલંક-નિકલંક જિનકુમાર : નમસ્તે.. પિતાજી! લીજિયે, આ જિનેન્દ્ર
ભગવાનનું ગંધાદક. [ રાજા ઊભો થઈ, બે હાથે ગંધોદક લઈ મસ્તકે તથા આંખે
લગાડે છે. ] જિનકુમાર : પિતાજી! આજે અષ્ટાલિકાનો ઉત્સવ પૂરો થાય છે;
અને દર વર્ષે આ ઉત્સવની પૂર્ણતાના હર્ષમાં મારા જિનમતી-માતાજી જિનેશ્વરભગવાનની મહાન રથયાત્રા કઢાવે છે. તે પ્રમાણે આ વર્ષે પણ એવી જ ભવ્ય
રથયાત્રા કાઢવા માટે મારા માતાજી આપની આજ્ઞા માગે છે. રાજા : પુત્ર! ભગવાનની રથયાત્રા કાઢવામાં મારી આજ્ઞા શી
હોય! હું તો ભગવાનનો સેવક છું. ખુશીથી રથયાત્રા કાઢો; અને સારી ઉર્જેનનગરીમાં આનંદથી ફેરવીને
ધર્મની પ્રભાવના કરો. મંત્રીજી ! આ પ્રસંગે આખી ઉર્જેનનગરીને શણગારવાનો પ્રબંધ
કરજો. મંત્રી : જેવી આજ્ઞા મહારાજ! નગરશેઠ : અહા, મહારાજ ! દર વર્ષે જૈનમતી-મહારાણી આ
રથયાત્રા કાઢે છે તે ઉજ્જૈનનગરીને માટે એક ઘણો જ
ભવ્ય અને આનંદનો પ્રસંગ છે. સેનાપતિ : અરે, આ રથયાત્રા જોવા તો દેશદેશથી લાખો જીવો
આ ઉર્જેનનગરીમાં ઊભરાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com