________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉ... પો૬. ઘા... ત આ સંવાદના પહેલા અંકમાં અકલંક-નિકલંકની બાલ્યાવસ્થા, બ્રહ્મચર્ય-પ્રતિજ્ઞા, જૈનશાસનની સેવાની ધગશ, નાલંદાના બૌદ્ધવિધાલયમાં અભ્યાસ, ચાતુ શબ્દ સુધારતાં પકડાઈ ગયા, પછી જેલમાંથી નાસી છૂટયા.. ને નાસતાં-નાસતાં અંતે પ્રભાવના ખાતર નિકલંકનું બલિદાન દેવાયું. એ દશ્યો રજા થયા.
હવે બીજા ભાગનું નામ છે-“પ્રભાવના”
નિકલંકના બલિદાન પાસે અકલંક, બૌદ્ધને હરાવીને ભારતભરમાં જૈનધર્મનો વિજયઝંડો ફરકાવવાની જે પ્રતિજ્ઞા કરી હતી તે કઈ રીતે પૂરી થાય છે અને જૈનધર્મની કેવી મહાન પ્રભાવના થાય છે, તે આપ હવે બીજા અંકમાં જશો.
શરૂઆતમાં ઉજ્જૈન નગરીના રાજદરબારનું દશ્ય છે. ઉજ્જૈનના મહારાજાને બે રાણીઓ, તેમાંથી એક જૈનધર્મની ભક્ત, ને બીજી બૌદ્ધધર્મની ભક્ત; સંવાદમાં આ રાણીઓનાં પાત્ર દર્શાવવાનું મુશ્કેલ હોવાથી, આપણા સંવાદમાં બન્ને રાણીના પ્રતિનિધિ તરીકે તેમના પુત્રોજિનકુમાર અને બુદ્ધકુમાર-નાં પાત્રો રાખવામાં આવ્યાં છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com