________________
Version 001: remember to check h±tp://www.AtmaDharma.com for updates
પ્રવચનસાર
ગાથા-૧૧૪
હવે એક દ્રવ્યને અન્યત્વ અને અનન્યત્વ હોવામાં જે વિરોધ તેને દૂર કરે છે (અર્થાત્ તેમાં વિરોધ નથી આવતો એમ દર્શાવે છે ):
दव्वट्ठिएण सव्वं दव्वं तं पज्जयट्ठिएण पुणो । हवदि य अण्णमणण्णं तक्काले तम्मयत्तादो ॥
द्रव्यार्थिकेन सर्वं द्रव्यं तत्पर्यायार्थिकेन पुनः । भवति चान्यदनन्यत्तत्काले तन्मयत्वात् । । ११४ । । દ્રવ્યાર્થિકે બધું દ્રવ્ય છે, ને તે જ પર્યાયાર્થિકે; છે અન્ય, જેથી તે સમય તરૂપ હોઈ અનન્ય છે. અન્વયાર્થ:- [દ્રવ્યાર્થિન] દ્રવ્યાર્થિક ( નય ) વડે [ સર્વ] સઘળું [દ્રવ્ય] દ્રવ્ય છે; [પુન: વ] અને વળી [ પર્યાયાર્થિòન ] પર્યાયાર્થિક ( નય ) વડે [તત્] તે (દ્રવ્ય) [ અન્યત્] અન્ય-અન્ય છે, [તત્કાળે તન્મયાત્] કારણ કે તે કાળે તન્મય હોવાને લીધે [ અનન્યત્] (દ્રવ્ય પર્યાયોથી ) અનન્ય છે.
ટીકા:- ખરેખર સર્વ વસ્તુ સામાન્યવિશેષાત્મક હોવાથી વસ્તુનું સ્વરૂપ જોનારાઓને અનુક્રમે (૧) સામાન્ય અને (૨) વિશેષને જાણનારાં બે ચક્ષુઓ છે–(૧) દ્રવ્યાર્થિક અને (૨) પર્યાયાર્થિક.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com