________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૬૩]
પ્રમાણે અવસ્થાએ અન્ય-અન્ય હોવા છતાં દ્રવ્ય અપેક્ષાએ અનન્ય છે. પરંતુ એવી રીતે બીજાની સાથે-અન્યદ્રવ્યની સાથે કદીય અનન્ય નથી. એક ગતિની પર્યાય વખતે બીજી ગતિ નથી તેથી અન્યઅન્ય છે પણ તે તે પર્યાયમાં દ્રવ્ય અનન્ય છે પણ બીજાં જે દ્રવ્યો અન્ય છે તેની સાથે કદીય-એક સમય પણ-અનન્ય છે એમ ત્રણકાળમાં નથી.
જુઓ, આ પુસ્તક અને પાનાં-એ બધાં અન્યદ્રવ્યની પર્યાય છે. એને જાણવું એ પણ કાં છે? કેમકે તેને જાણવા કાળે તો તારી જ્ઞાનની પર્યાય જે છે તેમાં તું તન્મય છો, પણ તેને જાણવા કાળે તું તેમાં (૫૨માં ) તન્મય નથી. શું કીધું આ –સમજાણું કાંઈ...? કે જાણવામાં આવ્યું કે આ શાસ્ત્ર આદિ છે, તો તે જાણનારી જ્ઞાનની પર્યાય કાંઈ તેમાં (શાસ્ત્ર આદિમાં ) તન્મય નથી. બીજે સમયે વિશેષ જાણવામાં આવ્યું તો તે કાળે પણ તે જ્ઞાન પરની સાથે તન્મય નથી. તે અન્ય-અન્ય પર્યાય છે તેથી પર્યાયની અપેક્ષા અન્ય-અન્ય છે પણ દ્રવ્યની અપેક્ષાએ અનન્ય છે, કેમકે પર્યાય દ્રવ્યથી કોઈ જુદી ચીજ નથી. ભાઈ! બીજાં દ્રવ્ય અને પર્યાય તો સ્વદ્રવ્ય-પર્યાયથી તદ્દન જુદાં છે,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com