________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કેવો મર્મ ભર્યો છે તેનો ખ્યાલ તો પૂ. ગુરુદેવશ્રીના આ શબ્દો ઉપરથી આવશે કે “અહો ! આ તો સંતોના હૃદયની કોઈ અપાર ઊંડપ છે! શું કહીએ? જેવું ઊંડુ ભાસે છે તેવું ભાષામાં આવતું નથી. (આવી શકે નહિ)” આ પ્રવચનો સાંભળતા, વાંચતા ને તેમાં રહેલા ભાવોને વાગોળતા પૂ. બહેનશ્રીના એ શબ્દોનું સ્ટેજે સ્મરણ થઈ આવે છે કે તેઓશ્રીને (પૂ. ગુરુદેવશ્રીને) શ્રુતની લબ્ધિ છે...તીર્થકરની વાણી જેવો જોગ છે.
અંતમાં, આ નાના છતાં અત્યંત આત્માર્થ પ્રેરક પુસ્તક દ્વારા તેમાં બતાવેલ વાચ્ય-નિશ્ચયનયના અનુપમ ચક્ષુને-સર્વ જીવો પામો એ જ ભાવના.
-સંત ચરણરજ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com