________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૪૬] ચૈતન્યનું વિકૃત શરીર-કષાય શરીર છે અને શુદ્ધ ત્રિકાળી જ્ઞાયકભાવ નિજશરીર છે, નિજવસ્તુ છે. એ નિજ ચૈતન્યવસ્તુને જોવા માટે તો એકવાર પર્યાયની આંખ બંધ કર.
હવે, સ્વને જોયો-જાણો છે તો, પર્યાયમાં પણ સામાન્ય સ્વ વર્તે છે તેથી, પર્યાયને જોવા આ સ્વનુંદ્રવ્યસામાન્યનું લક્ષ છોડી ઉઘાડેલા પર્યાયને જોવાના ચક્ષુ વડે જો એમ કહે છે. બીજા દ્રવ્યનો, ઔદારિક, કાર્માણ આદિ શરીરનો તો એક અંશ પણ તારી પર્યાયના અસ્તિત્વમાં નથી, પણ તારી પર્યાયના અસ્તિત્વમાં ચાર ગતિ અને સિદ્ધની પર્યાય છે.
જીવદ્રવ્યમાં રહેલા..' છે ને અંદર? ભાઈ ! નારકપણું આદિ પર્યાયો તારી પર્યાયના અસ્તિત્વમાં છે અને તેને જોવાનું જ્ઞાન ઉઘડેલું છે. તો અહીં કહે છે–તારી પર્યાયમાં જે અસ્તિત્વ છે તેને જોવાની ઉઘાડેલી આંખ વડે જો-જાણ. લ્યો, આવી બધી ઝીણી વાત, બાપા! લોકોને તો બહારથી ધર્મ કરવો છે, પણ ભાઈ ! બહારમાં તે (-જીવ) છે જ નહિ ને. અરે ! આવું સાંભળવાય ન રોકાય તે નિર્ણય કયારે કરે ? બાપુ! ચાર ગતિમાં ૮૪ના અવતાર કરી-કરીને તારા સોથા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com