________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૪૧] તો તે તે પોતાના ક્રમમાં પોતાના કાળે થશે જ. પણ તે પર્યાયોને-નારકપણા આદિને જોવાની આંખ સર્વથા બંધ કરી દે. તેને જોવાની આંખ બંધ કરી એટલે જોવાનું સર્વથા બંધ થઈ ગયું એમ નથી. પર્યાયને જોવાનું જ્યાં બંધ કર્યું ત્યાં તરત જ અંદર દ્રવ્યને જોવાનું દ્રવ્યાર્થિક નયનું જ્ઞાન ઉઘડ્યું છે, અને તે જ્ઞાનમાં આખો પૂર્ણાનંદનો નાથ ચિન્ચમત્કાર પ્રભુ આત્મા જણાય છે. લ્યો, હવે આવી વાત દિગંબર સિવાય બીજે કયાં છે? બીજે તો બારનીક્રિયાકાંડની વાતો છે. પરંતુ ભગવાન! જેનાથી ભવનો અંત ન આવે તે ચીજથી શું? બાપુ! આત્મદષ્ટિ વિના ૮૪ ના અવતારમાં નરકાદિના જે દુઃખો જીવ ભોગવે છે તેનું વર્ણન સાંભળ્યું ન જાય એવું છે. અને તેને જોતા જે આનંદ આવે તે આનંદની શી વાત! એ કહ્યો ન જાય એવો આનંદ તને આવશે.
અહાહા...! એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે જોતાં બધું દ્રવ્ય છે એમ ભાસે છે અર્થાત્ ત્રિકાળી એકરૂપ દ્રવ્ય જણાય છે. આ દ્રવ્ય ) જ્યારે ભાસ્યું છે ત્યારે હવે પર્યાયને જાણવાનું યથાર્થ જ્ઞાન પ્રગટ થયું છે. પહેલાં દ્રવ્યાર્થિકનયને બંધ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com