________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૩૯] શ્રોતાને આમ વાત કહે છે. એમ કે પંચમકાળમાં પણ અનેક જીવો આમ પોતાના શુદ્ધ ત્રિકાળી દ્રવ્યને જોશે–અવલોકશે; શ્રોતાને એમ કહેતા નથી કે તારાથી આ નહિ થાય. માટે મને ન સમજાય એ વાત મૂકી દે. પ્રભુ ! પર્યાય છે તેને પણ જ્યાં જોવાનું બંધ કરવું છે, ત્યાં આ ન જાણું-આ ન જાણી શકું, એ પ્રશ્ન જ ક્યાં છે? પર્યાયને જોવાનું જ્ઞાન સર્વથા બંધ કરીને જ્યાં દ્રવ્યને જવાના ઉઘાડેલા જ્ઞાન વડે જોઈશ
ત્યાં તને આખો ભગવાન ભળાશે, તારા ભગવાનનો તને ભેટો થશે. એ ભગવાન છાનો નહિ રહે.
અહાહા..“એક જીવ સામાન્યને અવલોકનારા અને વિશેષોને નહિ અવલોકનારા એ જીવોને...' એમ બહુવચન કહીને પંચમ આરાના સંત પોતાના પંચમ આરાના શ્રોતાઓને એમ કહે છે કે-ભગવાન ! તું વિશ્વાસ લાવ, તારામાં અનંત સામર્થ્ય છે, અનંતઅનંત પૂરણ વીર્યથી ભરેલો તું ભગવાન છો. અતીન્દ્રિય સુખામૃતથી–આનંદથી ભરેલો તું સાગર છો. ભગવાન ! આ પુરુષ, સ્ત્રી કે નપુંસક તે તું નથી. માટે તું શરીરને ન જો, આકૃતિને ન જો, પરને ન જ. અરેએ બહારમાં તો કયાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com