________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૩૭ ]
જોતાં...અહાહા...! બે-ત્રણ લીટીમાં તો કેટલું નાખ્યું છે? ભાઈ! કેવળીના કેડાયતો એવા આ દિગંબર સંતોની વાણીની કોઈ અપાર ઊંડપ છે! ભગવાનના તો વિરહ પડયા પણ આ વાણી રહી ગઈ. અહાહા...! આ વાણીએ ભગવાનના વિરહ ભુલાવ્યા છે. કહે છે-પર્યાયનય બંધ થઈ જતાં અંદર જે એકરૂપ અંત:તત્ત્વ છે તેને જાણનારું જ્ઞાન ઉઘડી ગયું છે. જ્યારે પર્યાય ઉપર દૃષ્ટિ હતી ત્યારે દ્રવ્યને જાણનારું જ્ઞાન અસ્ત થઈ ગયું હતું. પણ હવે જ્યાં પર્યાયને જોવાનું સર્વથા બંધ કર્યું એટલે ત્યાં સ્વને-અંતઃતત્ત્વને અવલોકવાનું જ્ઞાન ઉઘડયું છે. તે ઉઘડેલા જ્ઞાન વડે જોવામાં આવે છે ત્યારે ‘વિશેષોમાં રહેલા એક જીવસામાન્યને અવલોકનારા અને વિશેષોને નહિ અવલોકનારા...’ અહાહા...! છે અંદર ? છે કે નહિ અંદર પુસ્તકમાં ? કે ‘ જીવસામાન્યને અવલોકનારા અને વિશેષોને નહિ અવલોકનારા એ જીવોને તે બધુંય જીવદ્રવ્ય છે એમ ભાસે છે.' અહાહા...! ભગવાન ! આ તો ભાગવત કથા છે. ત્યાં શેના ગર્વ કરવા ? એની અગાધતા આગળ જાણવાના શું ગર્વ કરવા? અહાહા...! સંતો જ્યારે એની વ્યાખ્યા કરતા હશે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com