________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૩૪] પહેલી આ (દ્રવ્યાર્થિકનયની) વાત લઈને પછી તેની વાત કરશે. પહેલાં દ્રવ્યાર્થિકનયથી જોવાની વાત લીધી છે.
પ્રશ્ન- અને ત્યારે જ પર્યાયનું સાચું જ્ઞાન થાય
ને ?
ઉત્તર- જ્ઞાન ત્યારે સાચું-એ વાત અહીં નથી. પણ જ્ઞાન જે દ્રવ્યને જુએ છે એ સાચું છે. પાંચે પર્યાયોમાં રહેલું જે આ અખંડ એકરૂપ તત્ત્વ છે તે જીવદ્રવ્ય પોતે છે એમ જોનારું જ્ઞાન સાચું છે. વજન અહીં છે કે તે બધુંય જીવદ્રવ્ય છે એમ ભાસે છે.” અને પછી તો પર્યાય ભાસે છે એમ પણ કહેશે. પર્યાયનયથી પર્યાય ભાસે છે એમ પણ કહેશે પણ એ તો એનું જ્ઞાન કરાવવા માટે છે. અહીં તો આ (દ્રવ્યાર્થિકનયથી જોવાનું) પહેલાં ઉપાડ્યું છે.
પ્રભુતારી પાંચ પર્યાયોમાં તું રહેલો છો. છતાં તે પર્યાયોને જોવાની આંખ બંધ કરી દઈને તું વસ્તુ જે છે તેનું ઉઘાડેલા દ્રવ્યાર્થિકનયના જ્ઞાન વડે અવલોકન કર. ત્યારે તને ભાસ–જણાશે કે આ બધું જીવદ્રવ્ય છે. આખો પરમાત્મા અનંત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com