________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૨૦] છે : એક સામાન્યપણું-કાયમ રહેવાપણું અને બીજો વિશેષપણું–બદલવાપણું અને તેને જોનાર બે આંખ છે. હવે એ વિશેષને જોનારી આંખને બીલકુલ બંધ કરીને ઉઘાડલી દ્રવ્યાર્થિક આંખ વડે જો એમ કહે છે. ભારે ગજબ વાત છે! થોડે શબ્દ ઘણું ભર્યું છે હોં. અહો ! વાત બહુ ઊંચી છે!
જાઓ! અહીં એમ ન કહ્યું કે પરદ્રવ્યને-સ્ત્રીપુત્ર-મિત્ર-ધનાદિને જોવાનું બંધ કરી દે, કેમકે જે
સ્વરૂપમાં નથી તેની વાત શું કામ કરીએ. અહીં તો કહે છે–પ્રભુ! તારા સ્વરૂપમાં બે-સામાન્ય અને વિશેષ છે. તો હવે એ બે છે એમાંથી વિશેષને જોવાની આંખ સર્વથા બંધ કરી દઈને ઉઘાડલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડ જે. જાઓ! વિશેષને જોવાની આંખને કથંચિત્ ઉઘાડીને અને કથંચિત્ બંધ કરીને અથવા તેને ગૌણ કરીને–એમેય વાત નથી લીધી. અહો ! આ તો તત્કાલ સમ્યગ્દર્શન–વસ્તુ-દર્શન થવાની વાત છે. પર્યાયને જોવાનું બંધ કરી દીધું એટલે દ્રવ્યને જોનારું જ્ઞાન ઉઘડ્યું એમ કહે છે. દ્રવ્યાર્થિક ચક્ષુ વડે દ્રવ્યને જોનારું તે જ્ઞાન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com