________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates તિર્યંચત્વ-મનુષ્યત્વ સિદ્ધત્વપર્યાયોસ્વરૂપ વિશેષો તુલ્યકાળે જ દેખાય છે.
ત્યાં, એક ચક્ષુ વડે અવલોકન તે એકદેશ અવલોકન છે અને બે ચક્ષુઓ વડે અવલોકન તે સર્વ અવલોકન (–સંપૂર્ણ અવલોકન) છે. માટે સર્વ અવલોકનમાં દ્રવ્યનાં અન્યત્વ અને અનન્યત્વ વિરોધ પામતાં નથી.
ભાવાર્થ- દરેક દ્રવ્ય સામાન્ય-વિશેષાત્મક છે. તેથી દરેક દ્રવ્ય તેનું તે જ પણ રહે છે અને બદલાય પણ છે. દ્રવ્યનું સ્વરૂપ જ આવું ઉભયાત્મક હોવાથી દ્રવ્યના અનન્યપણામાં અને અન્યપણામાં વિરોધ નથી. જેમકે, મરીચિ અને શ્રી મહાવીરસ્વામીનું જીવસામાન્યની અપેક્ષાએ અનન્યપણું અને જીવન વિશેષોની અપેક્ષાએ અન્યપણું હોવામાં કોઈ પ્રકારનો વિરોધ નથી.
દ્રવ્યાર્થિકનયરૂપી એક ચક્ષુથી જોતાં દ્રવ્યસામાન્ય જ જણાય છે તેથી દ્રવ્ય અનન્ય અર્થાત્ તેનું તે જ ભાસે છે અને પર્યાયાર્થિકનયરૂપી બીજા એક ચક્ષુથી જતાં દ્રવ્યના પર્યાયોરૂપી વિશેષો જણાય છે તેથી દ્રવ્ય અન્ય-અન્ય ભાસે છે. બન્ને નયોરૂપી બન્ને ચક્ષુઓથી જોતાં દ્રવ્યસામાન્ય તથા દ્રવ્યના વિશેષ બન્ને જણાય છે તેથી દ્રવ્ય અનન્ય તેમ જ અન્યઅન્ય બને ભાસે છે. ૧૧૪.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com