________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુણ્ય-પાપ
૩૯૫ યોગ્ય શૈય પદાર્થો સ્વયમેવ ઝળકે છે એટલે જણાય છે. છતાં જ્ઞાનમાં તે શેયોનો પ્રવેશ નથી. શુભાશુભ રાગ થાય તેને જ્ઞાન જાણે પણ જ્ઞાન તે રાગરૂપે થતું નથી, ને તે રાગ જ્ઞાન રૂપે થતો નથી. જ્ઞાનમાં ય કદી પ્રવેશતું નથી, ને જ્ઞાન શેયમાં કરી પ્રવેશતું નથી. (૯-૪૨૦)
(૧)૯૫) અહા ! જીવને જે રાગ-દ્વેષ-મોહના ભાવ ઉત્પન્ન થાય છે તે પોતાના શુદ્ધ આનંદકંદ પ્રભુ આત્માના ભાનના અભાવથી એટલે કે અજ્ઞાનથી ઉત્પન્ન થાય છે. રાગ-દ્વેષ-મોહ પરદ્રવ્યથી ઉત્પન્ન થતા નથી, પોતાના સ્વદ્રવ્યથી પણ ઉત્પન્ન થતા નથી; કેમકે પરદ્રવ્ય પોતાના સ્વભાવથી ભિન્ન છે અર્થાત્ પોતાના સ્વભાવો પરદ્રવ્યમાં છે નહિ, અને પોતાનું સ્વદ્રવ્ય તો સદાય શુદ્ધ ચૈતન્યમય વીતરાગસ્વભાવમય છે. અહીં આ સિદ્ધ કરવું છે કેપદ્રવ્યમાં પોતાના રાગદ્વેષમોહ નથી અને પારદ્રવ્યથી તેઓ ઉત્પન્ન થાય છે એમ પણ નથી; પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપના ભાનના અભાવથી, અજ્ઞાનથી, રાગ-દ્વેષ-મોહના ભાવો ઉત્પન્ન થાય છે. આવી વાત છે.
(૯-૪૧૪) (૧૦૯૬) શિષ્ય પ્રશ્ન કરે છે. એમ કે પરમાં આત્માના ગુણ નથી, પરમાં આત્માના અવગુણ નથી, તો પછી સમ્યગ્દષ્ટિને વિષયોમાં રાગ કયા કારણે થાય છે?
તો કહે છે–સાંભળ! જ્ઞાનીને કોઈ પરના કારણે રાગ થતો નથી. જ્ઞાનીને પાંચ ઇન્દ્રિયના વિષયમાં લક્ષ જાય ત્યારે કિંચિત્ રાગ થાય છે; પણ તેને રાગ કહેતા નથી, કેમકે મિથ્યાત્વ સંબંધીનો રાગ થાય તેને જ રાગ કહેવામાં આવે છે. પોતાની ચૈતન્યસત્તાને ભૂલીને પરને પોતાનું માને, પરથી -વ્રતાદિથી પોતાનું હિત થવું માને એવા મિથ્યાદષ્ટિને રાગદ્વેષ ઉત્પન્ન થાય છે; જ્ઞાનીને તે હોતા નથી.
તો પછી રાગનીય કઈ ખાણ છે?
સાંભળ ભાઈ ! રાગદ્વેષમોહ એ જીવનના જ અજ્ઞાનમય પરિણામ છે, અર્થાત્ જીવનું સ્વરૂપ સંબંધી અજ્ઞાન જ રાગાદિક ઊપજવાની ખાણ છે. આવી વાત છે ભાઈ ! એ રાગ પદ્રવ્યની નહિ, સ્વદ્રવ્યથી નહિ; પોતાના અજ્ઞાનભાવ જ રાગની ખાણ છે. (૯-૪૧૭)
(૧)૯૭) હા, પણ જ્ઞાનીને પણ રાગ થતો દેખાય છે?
અરે પ્રભુ! તને ખબર નથી ભાઈ ! જ્ઞાનીને રાગદ્વેષ છે જ નહિ, કેમકે રાગ-દ્વેષ તો અજ્ઞાનથી ઉત્પન્ન થાય છે, તે અજ્ઞાનની ઓલાદ છે. અને જ્ઞાનીને અજ્ઞાન નથી. અહા! જેને સ્વનું લક્ષ જ થયું નથી એવા અજ્ઞાની જીવને, જેમાં પોતાના
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com