SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮૬ અધ્યાત્મ વૈભવ શુદ્ધતા-વીતરાગતા છે તેનું નામ ચારિત્ર છે. ચારિત્રમાં રાગનું સ્વામીપણું ને રાગનું કર્તાપણું છે જ નહિ-અહાહા.રાગ અને રાગના ફળને ચારિત્રવત પુરુષ કરતોય નથી ને ભોગવતોય નથી. (૧૦-૧૬૫ ) (૭૮૪) ચારિત્રવત ધર્મી પુરુષ “સ્વત: વ તૃત:' પોતાના સ્વરૂપથી જ તૃત છે, અર્થાત્ અતીન્દ્રિય આનંદનો મહાસાગર તેને પર્યાયમાં ઊછળે છે. કિંચિત રાગ થાય તેને તે માત્ર જાણે જ છે. અહા! નિજ નિર્મળ જ્ઞાનાનંદ-સ્વભાવનો અનુભવી જ્ઞાની પૂર્વકર્મના ફળમાં જોડાતો નથી. સ્થિરતાભર્યા આચરણમાં રમતા મુનિવરને વર્તમાનમાં રમણીય સુખનો અનુભવ વર્તે છે, અને ભવિષ્યમાં તેનું ફળ આવે તે પણ રમણીય નિષ્કર્મ પૂરણ સુખમય દશા છે. હવે ચારિત્રની આવી વાત છે, ત્યારે લોકો ચારિત્રને દુઃખદાયક માને છે. એમ કે ચારિત્ર ધારવું તે લોઢાના ચણા ચાવવા જેવું કષ્ટદાયક છે. અરે ભાઈ! તને ચારિત્રના વાસ્તવિક સ્વરૂપની ખબર નથી, જો તો ખરો, મુનિપદ અંગીકાર કરનારો દીક્ષાર્થી માતા પાસે આજ્ઞા માગવા જાય ત્યારે એમ કહે છે કે- જનેતા! હું આનંદને સાધવા વનવાસ જાઉં છું; માતા! મને રજા દે. માતા ! હું કોલકરાર કરીને કહું છું કે સ્વરૂપની રમણતામાં સ્થિર થઈને હું પરમ સુખની સિદ્ધિને પામીશ; માતા! હવે હું બીજી માતા નહિ કરું, બીજી માતાની કૂખે હવે હું નહિ અવતરું. ભાઈ ! ચારિત્ર તો આવા પરમ સુખનું દેનારું છે. ચારિત્ર કોઈ અલૌકિક ચીજ છે બાપુ ! અતીન્દ્રિય આનંદના સ્વરૂપમાં રમવું તે ચારિત્ર છે. સ્વરૂપની રમણતાની ઉગ્રતા તે તપ છે. આ બહાના ઉપવાસ કરે તે તપ એમ નહિ. સ્વરૂપની રમણતાનો ઉગ્ર પુરુષાર્થ કરે ત્યાં ઇચ્છાનો સહેજે અભાવ વર્તે તેનું નામ તપ છે. જેમાં અતિ પ્રચુર આનંદનું વેદન છે એવી સ્વરૂપલીનતા તે ચારિત્ર છે અને તે આનંદની ધારા વદ્ધમાન થતી મુક્તિ-પૂર્ણાનંદની દશા થઈ જાય છે. કહ્યું કે અહીં કે-વર્તમાન કાળમાં ચારિત્ર રમણીય સુખમય અને ભવિષ્ય-કાળમાં તેનું ફળ જે આવે તે પણ રમણીય નિષ્કર્મ સુખમય દશાંતર છે. અહો! ચારિત્રવત પુરુષ અંતર-લીનતાના અતિ ઉગ્ર પુરુષાર્થ વડે પૂર્વે સંસાર દશામાં કદીય થઈ નહોતી એવી વિશિષ્ટ પ્રકારની સર્વકર્મરહિત સ્વાધીન સુખમય પૂર્ણાનંદની દશાને પામે છે. અહા ! એક શ્લોકમાં કેટલું ભર્યું છે! ભગવાનની દિવ્યધ્વનિનો સાર ભર્યો છે. (૧૦-૧૬૬) (૭૮૫) વળી “જ્ઞાન જ સંયમ છે. ' શું કીધું? જ્ઞાન નામ આત્મા જ સંયમ છે. પાંચ ઇન્દ્રિયના વિષય અને મનથી પાછા ફરવું તે સંયમ–એ તો નાસ્તિથી વાત છે, અસ્તિથી કહીએ તો જ્ઞાન નામ આત્મા આત્મામાં જ રમે તે સંયમ, અને તે આત્મા જ છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008203
Book TitleAdhyatma Vaibhav1
Original Sutra AuthorN/A
AuthorRajkumar Jain
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year1989
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy