________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૬O
અધ્યાત્મ વૈભવ (૭૧૧) અહીં કહે છે તે (અજ્ઞાન) જ્ઞાનરૂપે પરિણમ્યું ત્યાં તે કાંઈ ન રહ્યું. અહાહા....! હું જાણગસ્વભાવી વિજ્ઞાનઘન પ્રભુ આત્મા છું એમ નિજ સત્તાનો નિર્ણય થયો ત્યાં અજ્ઞાન રહ્યું નહિ. ભલે પર્યાયમાં અલ્પજ્ઞાતા છે, પણ સર્વજ્ઞસ્વભાવી નિજ આત્માનું ભાન થયું તો અજ્ઞાન કાંઈ ન રહ્યું. અજ્ઞાન જેવી ચીજ જ ન રહી, જ્ઞાન-જ્ઞાન-સમ્યજ્ઞાન થયું. સમજાણું કાંઈ... ? મિથ્યાજ્ઞાન અને સમ્યગ્વજ્ઞાન-બંને સાથે રહી શકતાં નથી, તેથી અંતર્દષ્ટિ થતાં સમ્યજ્ઞાન થયું તો અજ્ઞાન કાંઈ ન રહ્યું. આવી વાત છે.
અહાહા....! ભગવાન આત્મા પોતાની ચીજની જ્યાં અંદરમાં સંભાળ લેવા ગયો ત્યાં એને અજ્ઞાન ટળી ગયું, ને સમ્યજ્ઞાન પ્રગટ થઈ ગયું. જ્ઞાનનેત્ર જે બંધ હતાં તે ખુલી ગયાં, કબાટ જે બંધ હતાં તે ખુલી ગયાં.
અહા ! જિજ્ઞાસુ કે જેને આ વાત ધારણામાં છે, પણ અંતર્દષ્ટિ થઈ નથી તેને હજુ કબાટ બંધ છે. જ્યાં અંતષ્ટિ થઈ કે તરત જ અજ્ઞાનનો નાશ થઈ કબાટ ખુલી જાય છે, અને ત્યારે હું શાંતિરસનો-ચૈતન્યરસનો-આનંદરસનો પિંડ છું એવો અનુભવ થાય છે.
(૧૧-૨૭૩)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com