________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૮
અધ્યાત્મ વૈભવ થાય છે. રાગથી ખસીને જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મામાં એકાગ્ર થવું તે જ્ઞાનચેતના છે, અને તે ચોથેથી શરૂ થાય છે. સમ્યગ્દષ્ટિને જ્ઞાનચેતના હોય છે. પણ પૂર્ણ નથી. સાથે કર્મચેતના અને કર્મફળચેતના પણ હોય છે.
અહાહા....! અહીં કહે છે-સાક્ષાત્ જ્ઞાનચેતનારૂપ પરિણમન થાય પછી આત્મા અનંતકાળ સુધી જ્ઞાનચેતનારૂપ રહેતો થકો પરમાનંદમાં મગ્ન રહે છે. જુઓ, ત્રિકાળી શુદ્ધ એક જ્ઞાયકભાવના આશ્રયે જે નિર્મળ રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ પ્રગટયો તેનો કાળ અસંખ્ય સમય છે; અને તેનું ફળ જે કેવળજ્ઞાન અને મોક્ષદશા પ્રગટી તેનો કાળ અનંત છે. સાધકપણાનો કાળ અસંખ્ય સમય છે, અનંત નહિ અને સિદ્ધદશા પ્રગટે તેનો કાળ અનંત છે. અહાહા...! આત્મા દ્રવ્ય છે તેનો કાળ અનાદિ-અનંત છે. તેમાં મિથ્યાષ્ટિ ભવ્ય જીવનો સંસાર અનાદિ-સાત છે. સાધકપણાનો કાળ સાદિ-સાંત અસંખ્ય સમય છે, અને તેનું ફળ જે સિદ્ધદશા તેનો કાળ સાદિઅનંત અનંત છે. અહાહા...! પરમ સુખમય સિદ્ધદશા પ્રગટી તે હવે અનંત અનંતકાળ રહેશે કહ્યું કે અહીં કે-અનંતકાળ સુધી જ્ઞાનચેતનારૂપ જ રહેતો થકો પરમાનંદમાં મગ્ન રહે છે. અહાહા...! સિદ્ધ પરમાત્મા અનંતકાળ સુધી પરમાનંદમાં મગ્ન રહે છે.
(૧૦-૧૫૮) (૭૦૬) શરીરના સ્પર્શનું જ્ઞાન થાય તે જ્ઞાન નથી; તેનાથી જે જ્ઞાન તે તો જડનું જ્ઞાન છે, એ ક્યાં આત્માનું જ્ઞાન છે? ભાઈ ! જેના પાતાળના ઊંડા તળમાં ચૈતન્યપ્રભુ પરમાત્મા બિરાજે છે તે ધ્રુવના આશ્રયે જ્ઞાન થાય. તે વાસ્તવિક જ્ઞાન છે. અહાહા..! અસંખ્ય પ્રદેશમાં અનંત ગુણનો પિંડ પ્રભુ આત્મા છે. તેની પર્યાય અંદર ઊંડ ધ્રુવ તરફ જઈને પ્રગટ થાય તે જ્ઞાન છે, તે ધર્મ છે. આવી વાત !
પ્રશ્ન- હા, પણ કેટલે ઊંડે એ (-ધ્રુવ) છે?
ઉત્તર- અહાહા..! અનંત અનંત ઊંડાણમય જેનું સ્વરૂપ છે તેની મર્યાદા શું? દ્રવ્ય તો બેહુદ અગાધ સ્વભાવવાનું છે, તેના સ્વભાવની મર્યાદા શું? અહાહા..! આવું અપરિમિત ધ્રુવ-દળ અંદરમાં છે ત્યાં પર્યાયને લઈ જવી (કેન્દ્રિત કરવી) તેનું નામ સમ્યજ્ઞાન છે. ઇન્દ્રિયોથી પ્રવર્તતું રાાન કાંઈ જ્ઞાન નથી.
(૧૦-૧૮૫) (૭૦૭) ભાઈ, આવું માંડ મનુષ્યપણું મળ્યું એ તો વીજળીનો ઝબકારો છે. આ વીજળીના ઝબકારે સમ્યજ્ઞાનરૂપી દોરો પરોવી લે તો પરોવી લે, દોરો ના પરોવ્યો તો, દોરા વિનાની સોય જેમ ક્યાંય ખોવાઈ જાય તેમ સમ્યજ્ઞાનરૂપી દોરા વિના, આ દેહ છૂટતાં, ભગવાન! તું ક્યાંય સંસારમાં ખોવાઈ જઈશ, પત્તોય નહિ લાગે. સમ્યજ્ઞાનરૂપી દોરો પરોવ્યો હશે તો પોતે ખોવાશે નહિ, અલ્પકાળમાં મોક્ષધામ પહોંચી જશે.
(૧૧-૨૩૦)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com