________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૩
સમ્યગ્દર્શન (દષ્ટિનો વિષય). જેણે અંતર્દષ્ટિ કરી જાયું તેને દ્રવ્યદષ્ટિ થઈ છે. તેને મિથ્યાત્વ-ભ્રમણા નથી, તે સમ્યગ્દષ્ટિ છે.
(૧૦-૧૬૯) (૬ર૩) -દર્શનશુદ્ધિ શું ચીજ છે બાપુ! તને ખબર નથી. જેમાં આત્માના અંતરંગ સ્વરૂપની ઓળખાણ-પહેચાન થતાં અનંતગુણોની અંશે વ્યક્તતા થઈ નિરાકુળ અતીન્દ્રિય આનંદનો સ્વાદ પ્રત્યક્ષ આવે તેનું નામ દર્શનશુદ્ધિ છે. શુદ્ધિવંત-દષ્ટિવંત પુરુષો ભગવાનનાં દર્શન આદિ રોજ નિયમથી કરે એ જુદી વાત છે. પણ એ કાંઈ દર્શનશુદ્ધિ નથી. જેમાં મોક્ષસુખનો નમૂનો અંશે અનુભવાય અને હું પૂરણ વિજ્ઞાનઘનસ્વભાવમય આત્મા છું એવી પ્રતીતિ જાગ્રત થાય એ દર્શનશુદ્ધિ કોઈ અલૌકિક ચીજ છે ભાઈ !
(૧૦-૨૦૧) (૬૨૪) અહો! આત્મા અલૌકિક અદ્દભુત ચમત્કારી વસ્તુ છે. ઓહો! અનંતગુણમય બેહદ સ્વભાવથી ભરેલો ભગવાન –આત્મા–તેની પ્રતીતિ કરવા માટે વિકલ્પ કામ ન આવે, કેમકે વિકલ્પ હદવાળી મર્યાદિત ચીજ છે; તેની પ્રતીતિ કરનારી પર્યાય બેહદ ચીજ છે. શું કીધું? અચિન્ય બેહદ જેનો સ્વભાવ છે એવા ભગવાન આત્માની પ્રતીતિ કરનારી પર્યાય કે જેને સમ્યગ્દર્શન કહીએ તે અચિન્ય બેહદ શક્તિવંત છે. અહાહા...! વસ્તુ ત્રિકાળી ધ્રુવદ્રવ્ય એક સમયની પર્યાયમાં આવી જાય (-પર્યાયરૂપ થઈ જાય) એમ નહિ, પણ એની પ્રતીતિ પર્યાયમાં આવી જાય છે. અહો ! તે પર્યાય (સમ્યગ્દર્શન) બેહદ ચીજ છે.
અષ્ટપાહુડમાં ચારિત્રને અક્ષય-અમેય કહેલ છે. અહાહા....! અંદરમાં બેહદ સ્વભાવી ચીજ–તેની પ્રતીતિ કરવા જાય તે પ્રતીતિમય પર્યાયની કાંઈ હદ છે? બાપુ! ત્યાં વિકલ્પ કામ ન કરે. અહાહા...! અનંત અનંત સ્વભાવથી ભરેલો ચૈતન્ય-ચમત્કાર સ્વરૂપ ભગવાન આત્મા છે. તેની નિર્વિકલ્પ પ્રતીતિ કરવા જાય ત્યાં અનંત સ્વભાવનું પરિણમન થઈને જીવને સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. અહો ! તે નિર્વિકલ્પ પ્રતીતિની બેહદ શક્તિ છે તેવી એક સમયની જ્ઞાનપર્યાય, રમણતાની પર્યાય, આનંદની પર્યાય-એમ પ્રત્યેક ગુણની પર્યાયની બેહદ તાકાત છે.
(૧૦-૨૨૦) (૬૨૫) ‘તત્ત્વાર્થ શ્રદ્ધનમ્ સચવર્ણનમ્' એમ સૂત્ર છે ને! એનો અર્થ શું? એનો અર્થ એ કે -તત્ત્વ નામ ભાવસહિત અર્થ નામ ભાવવાના પદાર્થનું શ્રદ્ધાન કરવું તે સમ્યગ્દર્શન છે. દ્રવ્યગુણ-પર્યાય તે અર્થ છે. તત્ત્વ નામ તેનો સ્વભાવ શું છે તે જાણીને (પદાર્થનું) શ્રદ્ધાન કરવું તેનું નામ સમ્યગ્દર્શન છે. દ્રવ્ય-ગુણ-પર્યાયનું તત્ત્વ જાણી, તત્ત્વ સહિત અર્થનું શ્રદ્ધાન-જ્ઞાન કરવું તે સમયગ્દર્શન-જ્ઞાન છે. પરમાત્મસ્વરૂપ ભગવાન આત્મા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com