SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધ્યાત્મ વૈભવ સમ્યગ્દર્શન પ્રગટ થતાં નિરાકુળ આનંદનો સ્વાદ ભેગો જ હોય છે. અનાકુળ, કેવળ એક, આખા વિશ્વના ઉપર જાણે તરતો હોય તેમ જ્ઞાની નિજ આત્માને અનુભવે છે. કેવળ એકને જ અનુભવે છે એટલે કે આ દ્રવ્ય અને આ પર્યાય એવો ભેદ પણ ત્યાં અનુભવમાં નથી. કેવળ એક એવો જે જ્ઞાયકસ્વભાવભાવ આખા વિશ્વના ઉપર જાણે કે તરતો હોય એમ પરમાત્મરૂપ સમયસારને જ્ઞાની અનુભવે છે. વિકલ્પથી માંડીને આખો જે લોકાલોક તેનાથી ભિન્ન ભગવાન આત્મા તરતો હોય એમ જ્ઞાની અનુભવે છે. ભાઈ ! આ ભગવાનની સીધી વાણીનો સાર છે. કહે છે-આખા વિશ્વ ઉપર જાણે તરતો હોય એવો એટલે કે વિશ્વથી ભિન્ન પોતાને જ્ઞાની અનુભવે છે. ભિન્ન છું કે અભિન્ન છું એવો વિકલ્પ પણ એમાં ક્યાં છે? આ અનુભવ કરું છું એવું પણ ત્યાં અનુભવમાં નથી. પાણીનું ગમે તેટલું દળ હોય છતાં તુંબડી તો ઉપર તરે છે, તેમ વિકલ્પથી માંડીને આખા લોકાલોકથી ભગવાન આત્મા ભિન્નપણે જાણે તરતો હોય એવું જ્ઞાનીને અનુભવાય છે. સમજાય એટલું સમજો, બાપુ! બાર અંગનો સાર આ છે. સમ્યગ્દર્શન શું ચીજ છે અને તે કેમ પ્રગટ થાય એની આ વાત ચાલે છે. ચારિત્ર તો બહુ આગળની વાત છે, પ્રભુ! કહે છે ભગવાન આત્મા સદા સિદ્ધસ્વરૂપ પરમાત્મા છે. (૫-૩૫૭). (૨૮૧) અહાહા..! આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન ત્રિકાળ પરમાનંદસ્વભાવી છે. પણ એ જણાય ક્યારે? આનંદના સ્વાદરૂપ સ્વસંવેદન પરિણતિ દ્વારા તે જણાય છે. પરમાનંદસ્વભાવી પ્રભુ આત્મા ત્રિકાળ અતિરૂપ છે; પણ પર્યાયમાં પરમાનંદના પરિણમન વિના, આનંદનો સ્વાદ (-સંવેદન) આવ્યા વિના આ અસ્તિ છે એમ પ્રતીતિમાં કેમ આવે ? અહાહા..! જેનો નમૂનો (-સ્વસંવેદન) આવે નહિ તો “એ આખી ચીજ આવી છે” એમ પ્રતીતિમાં ક્યાંથી આવે ? (૬-૨૩) (૨૮૨) અશુભભાવથી શુદ્ધતા ન થાય એ તો યથાર્થ જ છે, પણ શુભભાવના કાળમાં શુભભાવથી શુદ્ધતા થાય એવો તારો મત યથાર્થ નથી ભાઈ ! કેમકે શુભભાવ પણ અશુભની જેમ અશુદ્ધ જ છે. ત્યારે તે કહે છે-સમ્યગ્દર્શનનો નિર્વિકલ્પ અનુભવ તે થવા પહેલાં છેલ્લે શુભભાવ જ હોય છે ને! ભાઈ ! એ શુભભાવનો અભાવ થઈને નિર્વિકલ્પ અનુભવ થાય છે, કાંઈ શુભરાગથી નિર્વિકલ્પ અનુભવ થાય છે એમ નથી. અહાહા...! શુદ્ધ ચૈતન્યસ્વભાવનો Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008203
Book TitleAdhyatma Vaibhav1
Original Sutra AuthorN/A
AuthorRajkumar Jain
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year1989
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy