________________
અધ્યાય ૧ લો. બેસે તે હમણાંજ તમે તમને પોતાને સુખી, સર્વ સાંસારિક પંચાતીઓથી અલગ એટલે શાંત અને પ્રપંચ જાળથી મુક્ત, આત્મ સ્વરૂપને ઓળખો. “દેહથી આત્મા જુદો છે ત્યારે આત્માને દેહના ધર્મો કેમ લાગ્યા છે ? અને જ્યારે અનાદિ અધ્યાસથી તે લાગ્યા છે, તો પછી તે કેમ છુટે ?' એવી શંકાનું સમાધાન કરતાં કહેવામાં આવે છે કે, પંચમહાભૂતના પિંડમાં રહેલે જીવાત્મા અંતઃકરણદ્વારા દેહના ધર્મોને આત્મામાં અને પિતાના ધર્મોને અંતઃકરણમાં દાખલ કરે છે, એટલે અજ્ઞાન એવી અવિદ્યાએ કરી, જીવાત્મા દેહને પિતાને માને છે અને દેહ અહંભાવથી તેિજ પિતાને કર્તા ભોક્તા માને છે. આ અજ્ઞાન વા અવિદ્યાનો નાશ થયા વગર એ બે અલગ માની શકાતાં નથી, એજ મુકિત સામે મોટી મુશ્કેલી છે. એ આત્મભાવ-દેહાધ્યાસને નાશ થવાને માટે આત્મજ્ઞાનનો સતત પરિચય રાખવાની અને સદગુના બોધની જરૂર છે. આ બે કેવી રીતે એકમેક થઈ ગયેલાં છે, તેના ઉદાહરણ માટે કહે છે કે, તપાવેલ લેહનો ગોળો જેમ અગ્નિના ધર્મવાળો થાય છે એટલે કે, સ્પર્શ કરતાં દઝાડે છે, બાળે છે તેમજ અગ્નિ જે
સ્વરૂપાદિક ધર્મોથી રહિત છે તે ગોળાના સ્વરૂપાનુસાર મોટો, નાને, ગળ બેડોળ કહેવાય છે અને તેમના ધર્મો એક બીજામાં પ્રતીત થાય છે તેમ, દેહ અને આત્મા પણ એક બીજાના ધર્મો એક બીજામાં સંમિશ્ર કરી એકરૂપતારૂપી અધ્યાસમાં “મારું મારું ” માની સંસારની માયામાં ખોથાં ખાધા કરે છે. શિવ-જીવન વિવેક કરવા અને તેમના પૃથત્વથી એક ચિસ્વરૂપ શેધી તેમાં લીન થવું તેનું નામજ મુક્તિ અથવા મોક્ષ છે. મુક્તિ કિવા મોક્ષ એ કંઈ એકાદી એવી વસ્તુ વિશેષ નથી, કે જે સહેજે પ્રાપ્ત થઈ જાય છે તે શ્રીકૃષ્ણ પરમાત્માએ કહ્યું છે તેમ અનેક જન્મોના અંતે તેમજ વેદાંતનું હરહમેશ પરિશીલન રાખતાં રાખતાં જ પ્રાપ્ત થાય છે. ચિત જડની જે અનાદિ અધ્યાસ–અભ્યાસથી પડેલી જમ્બર ગાંઠ છે તે છોડવી એનું નામજ મુક્તિ છે. શ્રી શિવ