________________
20
પ્રકરણ-૧૪
જે પ્રકૃતિ-સ્વભાવવત, શૂન્ય-ચિત્ત (ચિત્તવૃત્તિ વિહીન) છે, તેવો મનુષ્ય. --પ્રમાદ (મજા) ને ખાતર જ જગતની વસ્તુઓ ની ભાવના કરતો હોય તેવું લાગે,અને, --ભલે તે જાગતા જેવો લાગતો હોય છતાં તે, (જ્ઞાન નિંદ્રામાં) ઊંઘતો જ હોવાથી,(શૂન્ય-ચિત્ત હોવાથી) --તેનું સંસારરૂપી બંધન ક્ષીણ થયેલું છે. (૧)
જયારે મારી કામના (સ્પૃહા) નષ્ટ થઇ ગઈ છે, ત્યારે, --મારા માટે ધન શું? મિત્રો શું? વિષયો રૂપી ચોર શું? --શાસ્ત્ર શું ? કે વિજ્ઞાન શું ? (૨).
સાક્ષી-પુરુષ “આત્મા” અને ઈશ્વર (પરમાત્મા) તેમજ નૈરાશય (આશા વગરના) અને બંધન-મોક્ષ, --આ બધા શબ્દો નું મને જ્ઞાન થયું છે, (આ સર્વ નો હું જ્ઞાતા છું) --એટલે મુક્તિ ને માટે મને હવે ચિંતા નથી. (૩)
જે પુરુષ નું અંતઃકરણ સંકલ્પ-વિકલ્પ વગરનું છે, જેના અંતઃકરણ માં વિષય-વાસનાઓ નથી), અને , --ભલે તે બહાર થી સ્વછંદ-પણે (સ્વેચ્છા-પૂર્વક) વિચરતો (ફરતો) હોય, તેમ છતાં તે જ્ઞાની છે. --આવા જ્ઞાની પુરુષ ને જ્ઞાની પુરુષ જ જાણી શકે છે, અજ્ઞાની પુરુષ નહિ. (૪)
પ્રકરણ-૧૪-સમાપ્ત