SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૪ ભૂમિકા રજૂ કરીએ છીએ – આ સ્તવ અથવા સ્તવનને શાંતિનાથનું સ્તવ અથવા શાંતિ માટેનું સ્તવ કહેવાય છે. આ સ્તવની ગાથા-૧૬માં સ્તવના રચયિતા માનદેવસૂરિએ તવ: ફશાન્તઃ' એ પદો લખ્યા છે. એ રીતે આ સ્તવને “શાંતિસ્તવ' નામે ઓળખાવેલ છે. - વિક્રમ સંવત ૧૩૩૪માં શ્રી પ્રભાચંદ્રસૂરિ દ્વારા રચિત પ્રભાવક ચરિત્રમાં “શ્રી માનદેવસૂરિ પ્રબંધ''માં આ સ્તવને “શાન્તિ સ્તવન” તરીકે ઓળખાવતા લખ્યું છે કે શ્રી શાન્તિ-સ્તવનામä ઇત્યાદિ ગાથા-૭૩. શ્રી “શાંતિસ્તવન' નામના ઉત્તમ સ્તવનને લઈને તું સ્વસ્થતાપૂર્વક તારા સ્થાને જા, તેથી તને ઉપદ્રવોની શાંતિ થશે.” તેની સામે માનદેવસૂરિના જ ગચ્છની - શાખામાં થઈ ગયેલા એક વિદ્વાનું મુનિરાજશ્રી એ માનદેવસૂરિની સ્તુતિ કરતી વખતે આ સ્તવનને સ્પષ્ટ રીતે “શાંતિ સ્તવ' નામથી જ ઓળખાવેલ છે તે માટે રચેલ શ્લોકનો અનુવાદ આ પ્રમાણે છે નાડૂલએટલે રાજસ્થાન-મારવાડમાં આવેલા નાડોલ નામક નગરમાં ચોમાસું કરનારા અને સુવિડિતોના ક્રમ માર્ગના દીપક જેવા – મંત્રશાસ્ત્રોમાં પારંગત એવા માનદેવ સૂરિએ - પ્રબળ ભયંકર મરકીના ભયને દૂર કરનારું “શાંતિ સ્તવ” શાકંભરી નામના નગરથી આવેલા સંઘની વિનંતીથી બનાવ્યું. તપાગચ્છ નાયક એવા ગુણરત્નસૂરિએ વિક્રમ સંવત-૧૪૬૬માં રચેલા ક્રિયારત્નસમુચ્ચય નામના ગ્રંથના અંતે ગુરુપર્વક્રમ-વર્ણનાધિકારના શ્લોક-૧૨માં પણ આ સ્તવને “શાંતિસ્તવ” નામથી ઓળખાવેલ છે. આ શ્લોકનો અનુવાદ કરતાં કહી શકાય કે પદ્મા, જયા વગેરે દેવીઓથી નમન કરાયેલા, નડ્રલપુરી અર્થાત્ રાજસ્થાન-મારવાડની ગોલવાડ પંચતીર્થિમાં આવતા નાડોલમાં રહેલા જે માનદેવસૂરિએ “શાંતિસ્તવ' થી શાકંભરી પુરમાં પ્રગટેલી મારી અર્થાત્ મરકીની વ્યાધિને કરી હતી એટલે કે દૂર કરી હતી. તપાગચ્છાધિપતિ એવા મુનિસુંદર સૂરિએ વિક્રમસંવત- ૧૪૬૬ કે ૧૪૯૯લ્માં રચેલી ગુર્નાવલીના શ્લોક ૩૦ થી ૩૪માં ગુરુ માનદેવસૂરિનું સંસ્મરણ કરેલું છે. તેમાં તેઓ જણાવે છે કે, તેમણે અર્થાત્ માનદેવસૂરિએ રચેલા આ શાંતિસ્તવથી મારી-મરકીની વ્યાધિને દૂર કરી હતી. આ શ્લોકનું ભાષાંતર આ પ્રમાણે છે “ભગવંત મહાવીરની પટ્ટ-પરંપરામાં થયેલા એવા માનદેવસૂરિજી, જેઓએ વર્ષાવાસ રૂપે નાડોલપુરમાં ચોમાસુ રહેવા છતાં પણ શાકંભરી નામના નગરમાં ઉત્પન્ન થયેલી મારિ અર્થાત્ મરકીને, તે નગરથી આવેલા શ્રાદ્ધ ગણની પ્રાર્થનાથી રચેલા “શાંતિ-સ્તવથી” દૂર કરી હતી. વિજયવિમલ ગણિવરે “ગચ્છાચાર' નામક પ્રકિર્ણક-આગમની જે ટીકા
SR No.008046
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy