________________
અધ્યાય ૨ જે.
૨૫
ચાંદીના સંબંધ જેમ ખાટા-ભ્રમમૂલક છે તેમ આત્મામાં દેહના સંબંધ પણ ખાટા છે. આત્માની સત્તાથી દેહના ભાસ અને તેનું સ્વરૂપ જણાય છે. આત્માના પ્રકાશ એમાંથી બહાર જતાં કંઈજ રહેતું નથી; તેમ સંસાર અને સંપૂર્ણ જગત પણ બ્રહ્મ રહિત માનતાં અંધારૂંજ છે.
જગત સત્ય જેવું લાગે છે તે મ્રહ્મના અસ્તિ, ભાતિ અને પ્રિય, એ ત્રણ અંશને લીધે છે. નામ અને રૂપ એ એ અંશ જડના છે, જડ અંશેાની સાથે બ્રહ્મ અંશાનેા સબંધ થવાથી તે પ્રકાશે છે, પરંતુ જ્યારે જડ અંશે! ક્ષીણ થઇ નાશ પામે છે ત્યારે જગત પાછું અદૃશ્ય થઈ જાય છે. નામ અને રૂપ જડ છે, કારણ કે તે વધે છે, ઘટે છે અને નાશ પામે છે એટલુંજ નહિ, પરંતુ ત્રણે કાળમાં એક સ્વરૂપે રહેતા નથી. જડ અંશામાંથી બ્રહ્મ અંશા છુટા પાડવામાં આવે તે જગત એની મેળેજ મિથ્યા થઈ જાય. જગતજ શું પરંતુ તેમાંના ક્રાઇ પણ પદાર્થ બ્રહ્માંશ વગર અસ્તિત્વ ધરાવતા નથી. જનકને અષ્ટાવક્રના ઉપદેશથી આ જડ ચૈતન્યના મેધ થયા અને એ ખાધના આનંદમાં તે આ પ્રમાણે પાતાને બ્રહ્મ સ્વરૂપ માનતા પૂર્વના અજ્ઞાનનિત સંસ્કાર માટે આશ્ચર્ય બતાવવા લાગ્યા. सशरीरमहो विश्वं परित्यज्य मयाधुना । कुतश्चित् कौशलादेव परमात्मा विलोक्यते ॥ ३॥
અર્થ. અહા ! વેજ મારાથી શરીર સાથે ( સંપૂર્ણ ) વિશ્વને ત્યાગ થતાં કુશળતાથી પરમાત્મા જેવાય છે. ૩ જનકને બ્રહ્મપ્રતીતિ.
ટીકા. જનકરાજા પાતે પાતાના પ્રતિ કહે છે કે અહા ! શાસ્ત્ર શ્રવણ અને આચાર્યના ઉપદેશ થતાં મને આત્મા અને જગત જુદાં છે, તે સમજાયું. હવે શરીર તેમજ આ સંપૂર્ણ વિશ્વ તે આત્મા નથી, એવી પ્રતીતિ થતાંની સાથેજ મને પરમાત્માના સાક્ષાત્કાર થાય છે.