________________
૧૨
અષ્ટાવક્ર ગીતા.
પટ તે ઘડે। નથી. તેમના વર્ગજ જુદો છે માટે વિસ્તૃતીય ભેદ. સ્વગત એટલે એક લેવર-સ્થૂલમાંના અવયવાદિક ભેદ તે. જેમકે શરીરના સ્વગત ભેદ તે હસ્ત, પાદ વગેરે, અને વૃક્ષના સ્વગત ભેદ તે તેનાં ડાળાં, પાંખડાં અને ક્રૂળફૂલ વગેરે. આ ત્રણે જાતના ભેદ આત્મામાં નથી. આત્મા તે અવિચ્છિન્ન એકરસ એક સ્વરૂપજ છે અને જગતમાંની વસ્તુઓ અને પુરુષાદિક જે અભાવનાં પુતળાં છે તે ઉપર જણાવેલા ત્રણે ભેદવાળાં છે. તેથી નામ રૂપાત્મક વસ્તુ તે બ્રહ્મ નથી, એમ જાણે. છીપમાં જેમ ચાંદી અને દારીમાં જેમ સાપના ભાસ મિથ્યા છે, તેમ બ્રહ્મમાં જગતના ભાસ મિથ્યા, મિથ્યા ને મિથ્યાજ છે. અજવાળુ થતાં જેમ દોરીમાંના સાપનેા અને અનુભવ પ્રત્યક્ષીકરણ થતાં છીપમાંનેા ચાંદીને ભાસ નાશ પામે છે, તેમ બ્રહ્મજ્ઞાન થતાંજ જગતનું મિથ્યાત્વ સમજાઈ બ્રહ્મસ્વરૂપતા પ્રાપ્ત થાય છે.
વળી બ્રહ્મ વ્યાપક હાઈ પરિચ્છેદ રહિત છે. દેશ, કાળ અને વસ્તુમાં પણ તે વહેંચાતા નથી, પરંતુ સર્વત્ર પરિપૂર્ણ અખંડ એક રસ છે. જે વસ્તુ એક દેશમાં હોય અને બીજા દેશમાં ન હોય, તે દેશ પરિચ્છેદવાળી કહેવાય. બ્રહ્મ-આત્મા એવી નથી. એ તા બધેજ ભરપુર ભરેલા છે. એક ઠેકાણે હોય અને બીજે ઠેકાણે ન હાય એમ નથી. જે વસ્તુ એક વખતે ડ્રાય અને બીજે વખતે ન હોય તે કાળપરિચ્છેદવાળી કહેવાય. આત્મા એવા નથી. એ તેા આદિઅનાદિ સર્વ કાળે છે છે ને છેજ, એટલે તે કાળપરિચ્છેદવાળા પણ નથી. જે વસ્તુ બીજી વસ્તુમાં ન ભળે ન સમાય તે વસ્તુપરિચ્છેદ કહેવાય. જેમકે ઘડાનેા અંતર્ભાવ પટ્ટમાં થાય નહિ અને પટના અંતર્ભાવ ઘટમાં થાય નિહ. જે વસ્તુએ એક બીજાથી જુદીજ રહે તે મળે ર્કિવા મિશ્ર થાય નહિ તેનું નામ વસ્તુપરિચ્છેદ. આ વસ્તુ પરિચ્છેદ પણ બ્રહ્મ કહેતાં આત્મામાં નથી, કારણુ કે, તે તેા સર્વત્ર ભળી ગયેલા— બધેજ રહેલા છે.