________________
૧૪૬
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
શસ્ત્ર, અગ્નિ, સાંબેલું અને યંત્ર વગેરે તેમજ ઘાસ, કાષ્ટ, મંત્ર, જડીબુટ્ટી અને ઔષધ પ્રયોજન વિના બીજાને) આપતાં અથવા બીજા પાસે અપાવતાં અને આપનારની અનુમોદના કરવાથી) આઠમા વ્રત (ત્રીજા અનર્થદંડ વિરમણ ગુણવત)માં લાગેલાસંવત્સરીસંબંધી (સર્વઅતિચારો)નુંહપ્રતિક્રમણ કરું છું. (૨૪) જયણા વિના (અળગણ પાણીથી) ૧-જાવું ૨- પીઠી વગેરે ચોળી, મેલ ઉતારવો ૩- અબીલ, ગુલાલ વગેરેથી રંગ કરવો ૪- કેશર-ચંદનથી વિલેપન કરવું ૫- વાજીંત્રના શબ્દો સાંભળવાં ૬- રૂપ નિરખવાં ૭– અનેક રસનો સ્વાદ કરવો ૮- અનેક જાતના સુગંધી પદાર્થો સુંઘવા ૯- વસ્ત્ર, આસન અને ઘરેણામાં આસક્તિ કરવાથી તથા આરંભ કરવાથી સંવત્સરી સંબંધી લાગેલા સર્વ (અતિચારો)નું પડિક્કમુંછું. (૨૫). ૧-કંદર્પ=વિકારવધે તેવી વાતો કરવી ૨-કીકુચ્ચકકામઉત્પન્ન કરનારી કુચેષ્ટા કરવી ૩-મૌખર્ય=મુખથી હાસ્યાદિક દ્વારા જેમતેમ બોલવું૪-સંયુક્તાધિકરણ = પોતાના ખપ (જરૂર) કરતાં વધારે શસ્ત્રો મેળવવાં ૫- ઉપભોગપરિભોગાતિરિક્તતા=ઉપભોગતથા પરિભોગમાં વપરાતી ચીજોખપ (જરૂર) કરતાં વધારે રાખવી, આ પાંચ પ્રકારના ત્રીજા અનર્થદંડ વિરમણવ્રત ને વિષે જણાવ્યાં છે. તેમાં મને જેદોષ લાગ્યો હોય, તેને હુંબિંદુછું. (૨)
(સામાયિક વ્રત વિષેના અતિચાર) તિવિહે દુપ્પણિહાણે, અણવટ્ટાણે તહા સઈ વિહૂણે, સામાઇઅ વિતહ કએ, પઢમે સિખાવએ નિંદ. (૨૭)
૧-મનનું દુષ્ટ પ્રણિધાન ૨- વચનનું દુષ્ટ પ્રણિધાન ૩- કાયાનું દુષ્ટ પ્રણિધાન (વ્યાપાર) ૪- અવિનય પણે (બે ઘડી કરતાં વહેલું) સામાયિક કરવું પ) યાદન રહેવાથી સામાયિક વ્રતને ભૂલી જવું સ્વરૂપસ્મૃતિભ્રંશ, આ રીતે સામાયિક ખોટી રીતે કર્યું હોય તો તે પહેલાં સામાયિક શિક્ષાવ્રતને વિષે લાગેલા પાંચ અતિચારોમાંથી જે કોઈ દોષ લાગ્યો હોય તેની હું આત્મસાક્ષીએ નિંદા કરું છું.(૨૭)