________________
xxix
પછી બે હાથ જોડી લલાટ ઉપર રાખતાં બોલે છે કે “ખમણિજ્જો ભે! કિલામો” અહીં સુધીનાં પદોનો સમાવેશ અનુજ્ઞાપન-સ્થાનમાં થાય છે. ૩. અવ્યાબાધ-પૃચ્છા-સ્થાન
‘અપ્રકિદંતાણં બહુસુભેણ બે દિવસો વઇÉતો ?' - અલ્પગ્લાનિવાળા એવા આપનો દિવસ સુખપૂર્વક થયો છે?
અંતઃકરણથી પ્રસન્નતાપૂર્વક થતા કામમાં કંટાળો જણાતો નથી, તેથી ગ્લાનિ પણ ઓછી જ લાગે છે. અહીં ગુરૂને અલ્પ ગ્લાનિવાળા કહેવાનો હેતુ, તેઓ દિનચર્યાને પ્રસન્નતાપૂર્વક અનુસરનારા છે, એમ જણાવવાનો છે. બહુશુભ' શબ્દ અવ્યાબાધ સ્થિતિ એટલે રોગાદિ પીડા-રહિત સ્થિતિ સૂચવવાને માટે વપરાયેલો છે. તેથી આ વાક્ય દ્વારા ગુરૂને વિનયપૂર્વક એમ પૂછવામાં આવે છે કે આપને ગ્લાનિ તો નથી થઈ? આપ શાતામાં છો? કોઈ જાતની પીડા તો નથી ને? ગુરૂ કહે છે કે- તેમજ છે; અર્થાત્ હું અલ્પ ગ્લાનિવાળો અને શરીરથી નિરાબાધ છું. ૪. યાત્રા-પૃચ્છા-સ્થાન
જત્તા ભે?- આપને સંયમયાત્રા (સુખ-પૂર્વક) વર્તે છે? સંયમન નિર્વાહએ ‘ભાવયાત્રા” છે, અને ‘ભાવયાત્રા” છે તે જ સાચી યાત્રા” છે. તેથી યાત્રા” શબ્દથી અહીં સંયમનો નિવહ સમજવાનો છે. આ બે પદના ત્રણ અક્ષરો વિશિષ્ટ રીતે બોલાય છે. તે આ રીતે
જ-અનુદાત્ત સ્વરથી (નીચા સ્વરે) બોલાય છે. અને તે જ વખતે ગુરૂની ચરણસ્થાપનાને બે હાથે સ્પર્શ કરવામાં આવે છે.
ત્તા – સ્વરિત સ્વરે (મધ્યમ સ્વરે) બોલવામાં આવે છે અને તે વખતે ચરણ-સ્થાપના પરથી ઉઠાવી લીધેલા હાથ (રજોહરણ અને લલાટ વચ્ચે હૃદયસ્થાને રાખવામાં) ચત્તા કરવામાં આવેછે.
ભે - ઉદાત્ત સ્વરથી (ઉંચા સ્વરે) બોલવામાં આવે છે અને તે વખતે દષ્ટિ ગુરૂ-સમક્ષ રાખી બંને હાથ લલાટે લગાડવામાં આવે છે.