SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ xvii (૯) અક્બોડા અને (૯) પક્ષોડા પડિલેહણ વિધિ (૯) અખોડા પછી મધ્યભાગનો છેડો જમણા હાથે એવી રીતે ખેંચી લેવો કે જેથી બરાબર બે પડની ઘડી વળી જાય. અને (તે બે પડવાળી થયેલી મુહપત્તી) દષ્ટિ સન્મુખ આવી જાય. ત્યારબાદ તરત તેના ત્રણ વધૂટક કરીને જમણા હાથની ચાર અંગુલીઓના ત્રણ આંતરામાં ભરાવવા-દાબવા અને તેવી રીતે ત્રણ વટક કરેલી મુહપત્તીને ડાબા હાથની હથેળી ઉપર હથેલીને ન અડે–ન સ્પર્શે તેવી રીતે પ્રથમ ત્રણવાર કાંડા સુધી લઈ જવી અને એ પ્રમાણે ત્રણ વખત વચ્ચે વચ્ચે આગળ કહેવાતા પક્ષોડા કરવા પૂર્વક ત્રણ ત્રણ વાર અંદર લેવી તે ૯ અોડા અથવા ૯ આખોટક અથવા ૯ આસ્ફોટક કહેવાય. (તેમાં ગ્રહણ કરવાનું હોવાથી ખંખેરવાનું નથી.) (૯) પક્ષોડા (પ્રમાર્જના) : ઉપર કહ્યા પ્રમાણે પહેલી વાર કાંડા તરફ ચઢતાં ત્રણ અક્ખોડા કરીને નીચે ઉતરતી વખતે હથેલીને મુહપત્તી અડે = સ્પર્શે એવી રીતે (મુહપત્તી વડે) ત્રણ ઘસરકા ડાબી હથેલીને કરવા-તે પહેલી ૩ પ્રમાર્જના ત્યારબાદ (કાંડા તરફ ચડતા ૩ અક્બોડા કરી) બીજા વાર ઊતરતાં ૩પ્રમાર્જના અને એજ પ્રમાણે (વચ્ચે ૩ અક્બોડા કરી) પુનઃ ત્રીજી વખત ૩ પ્રમાર્જના કરવી, તે ૯ પ્રમાર્જના અથવા ૯ પક્ષોડા અથવા ૯ પ્રસ્ફોટક કહેવાય. (ઉપર કહેલા ૬ પ્રસ્ફોટક તે આથી જુદા જાણવા, કારણ કે ૬ ઊર્ધ્વ પફોડા અથવા ૬ પુરિમ કહેવાય છે, પરંતુ પ્રસિદ્ધિમાં ૯ પક્ષોડા ગણાય છે, તો તે આ ૯ પ્રમાર્જનાનું નામ છે.) એ ૯ અક્બોડા અને ૯ પક્ષોડા તિગ તિગ અંતરિયા એટલે પરસ્પર ત્રણ ત્રણને આંતરે થાય છે, તે આ પ્રમાણે-પ્રથમ હથેલીએ ચઢતાં ૩ પોડા કરવા, ત્યારબાદ હથેલી ઉપરથી ઊતરતાં ૩ અખોડા કરવા, ત્યારબાદ પુનઃ ૩ પક્ષોડા, પુનઃ ૩ અક્બોડા, પુનઃ ૩ પક્ષોડા, પુનઃ ૩ અક્બોડા, એ અનુક્રમે ૯ પક્ષોડા, અને ૯ અક્બોડા પરસ્પર અંતરિત ગણાય છે. અથવા પક્ષોડાના આંતરે અક્બોડા એમ પણ ગણાય છે.
SR No.007718
Book TitleSamvatsari Pratikramana
Original Sutra AuthorN/A
AuthorIla Mehta
PublisherIla Mehta
Publication Year2014
Total Pages279
LanguageEnglish
ClassificationBook_English
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy