SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રાંક-૬૯૩ ૭૧ આયંબિલ કરે કે અનેક પ્રકારની ક્રિયા કરે. પછી એ ક્રિયાની અંદર જરાય આછું-પાછું ન થવું જોઈએ. બરાબર થવું જોઈએ. જે પ્રમાણે એણે નક્કી કર્યું હોય એમાં જરાક આછું-પાછું થાય એટલે એના પિરણામમાં મોટી ગડબડ થાય. આકુળતા થઈ જાય. કેમકે ઉપવાસ કર્યાં પછી ઘણા ગુસ્સો કરે છે ને ? હવે દુ:ખ તો ભૂખનું હોય છે. દીવાની દાઝ નાખે કોડિયા ઉપ૨. અને પછી કચાંક વાંકું પડે એટલે પિરણામ એકદમ તીવ્ર કષાયવાળા થઈ જાય. હવે નિશ્ચય એ છે કે પરિણામ સુધા૨વા એ નિશ્ચય છે. પણ એનું લક્ષ નિશ્ચય ઉ૫૨ નથી. એનું લક્ષ પેલા વ્યવહાર અને ક્રિયાના આગ્રહ ઉ૫૨ છે. કે એમાં કાંઈક આવું-પાછું થઈ ગયું તો ખલાસ. મોટી ગડબડ થઈ જાય. પરિણામ બગાડવાના નહોતાને ? એ તો એને ખબર જ નથી. એટલે વ્યવહારના વિષયમાં મુખ્યપણે મન-વચન-કાયા અને પદ્રવ્યનો વિષય છે. નિશ્ચયમાં સ્વદ્રવ્યનો વિષય છે. આગ્રહ એટલે વજન જાય ત્યારે એને સ્વદ્રવ્ય ઉપર લક્ષ ન જાય, સ્વદ્રવ્ય ઉપર વજન ન જાય. એને લક્ષ ક્રિયાનું જ રહ્યા કરે. આમાં કાંઈ ફેરફાર ન થવો જોઈએ. એવી ચિકાશથી ક્રિયા કરે. લ્યોને, આ દિગંબર લોકોમાં છે. પરિણામ બગડ્યા એ એને ખબર ન પડે. એવા રાગમાં મારા પરિણામ ચિકણા થઈને બગડી ગયા એ એને ખબર ન પડે. ક્રિયા તો પરિણામ સુધારવા માટે હતી. ક્રિયા કરતા કરતા બગાડ્યા, એનું શું કરીશ ? તને ક્રિયા ઓછી-વત્તી થાય એનો દોષ નહિ લાગે, તારા પરિણામ થાય એનો દોષ લાગશે. તો પરિણામની અંદર અશાંતિ ન થાય અને શાંતિ રહે, એ તો મુખ્ય વાત હોવી જોઈએ. એના ઉપર તો લક્ષ જ ન રહે. જેને પરપદાર્થના પરિણામ ઉપર આવું લક્ષ રહે એને સ્વપદાર્થનું લક્ષ રહે જ નહિ. આ એક બહુ સ્વભાવિક પરિસ્થિતિ ઊભી થઈ જાય છે. સહેજે સહેજે. .. મુમુક્ષુ :- નિશ્ચયની વાત છે. ને વ્યવહા૨થી મોક્ષ થાય એવી... પૂજ્ય ભાઈશ્રી :- હા. એટલે શું છે કે પોતાના પરિણામ જે છે એને સુધારતા ગુણસ્થાન અનુસાર, ભૂમિકા અનુસાર જે યોગ્ય વ્યવહારના પરિણામ થાય, સહેજે યોગ્યપણે થાય. કાલે ચર્ચામાં એક વિષય આવ્યો
SR No.007189
Book TitleRaj Hriday Part 14
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy