________________
૧૪૨
રાજહૃદય ભાગ-૧૪
ધર્મદ્રવ્ય' એક છે. તે અસંખ્યાતપ્રદેશપ્રમાણ લોકવ્યાપક છે. અધર્મદ્રવ્ય’ એક છે. તે પણ અસંખ્યાતપ્રદેશપ્રમાણ લોકવ્યાપક છે. ‘આકાશદ્રવ્ય’ એક છે. તે અનંતપ્રદેશપ્રમાણ છે, લોકાલોકન્યાપક છે. લોકપ્રમાણ આકાશ અસંખ્યાતપ્રદેશાત્મક છે.
‘કાળદ્રવ્ય’ એ પાંચ અસ્તિકાયનો વર્તનારૂપ પર્યાય છે, એટલે ઉપચારિક દ્રવ્ય છે, વસ્તુતાએ તો પર્યાય જ છે; અને પળ, વિપળથી માંડી વર્ષાદિ પર્યંત જે કાળ સૂર્યની ગતિ પરથી સમજાય છે, તે વ્યાવહારિક કાળ’ છે, એમ શ્વેતાંબરાચાર્યો કહે છે. દિગંબરાચાર્યો પણ એમ કહે છે, પણ વિશેષમાં એટલું કહે છે, કે લોકાકાશના એકેક પ્રદેશે એકેક કાલાણ રહેલો છે; જે અવર્ણ, અર્ગંધ, અરસ, અસ્પર્શ છે; અગુરુલઘુ સ્વભાવવાન છે. તે કાલાણુઓ વર્તનાપર્યાય અને વ્યાવહારિક કાળને નિમિત્તોપકારી છે. તે કાલાણુઓ દ્રવ્ય’ કહેવા યોગ્ય છે, પણ અસ્તિકાય' કહેવા યોગ્ય નથી; કેમકે એકબીજા તે અણુઓ મળીને ક્રિયાની પ્રવૃત્તિ કરતા નથી; જેથી બહુપદેશાત્મક નહીં હોવાથી ‘કાળદ્રવ્ય’ અસ્તિકાય કહેવા યોગ્ય નથી; અને વિવેચનમાં પણ પંચાસ્તિકાયમાં તેનું ગૌણરૂપે સ્વરૂપ કહીએ છીએ.
‘આકાશ’ અનંતપ્રદેશપ્રમાણ છે. તેમાં અસંખ્યાતપ્રદેશપ્રમાણમાં ધર્મ, અધર્મ દ્રવ્ય વ્યાપક છે. ધર્મ, અધર્મ દ્રવ્યનો એવો સ્વભાવ છે કે, જીવ અને પુદ્ગલ તેની સહાયતાના નિમિત્તથી ગતિ અને સ્થિતિ કરી શકે છે; જેથી ધર્મ, અધર્મ દ્રવ્યના વ્યાપકપણા પર્યંત જ જીવ અને પુદ્ગલની ગતિ, સ્થિતિ છે; અને તેથી લોકમર્યાદા ઉત્પન્ન થાય છે.
જીવ, પુદ્ગલ, અને ધર્મ, અધર્મ દ્રવ્યપ્રમાણ આકાશ એ પાંચ જ્યાં વ્યાપક છે તે લોક’ કહેવાય છે.