SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રક-૬૪૬ ૭૧ ઉપરાંત બીજો વિચાર, એની ઉપર ત્રીજો વિચાર. એ વિચાર લંબાય છે એને વિચારની હારમાળા કહે છે. એ વિચારની હારમાળા ઉદય પામી. મુમુક્ષુ :-- પૂજ્ય ભાઈશ્રી :- હા. એટલે બીજા એવા અનુકૂળતાવાળા છે. એને પોતાને એવી અનુકુળતા નથી. એટલે મારા કરતા એ સુખી છે. હું એના કરતા દુઃખી છું એવો હિન ભાવ અનુભવે છે. બીજાની સામે જોઈને. એ એમ બતાવે છે કે એને તે તે પ્રકારના સંયોગી ચીજની ચાહના રહી છે. એ (દુઃખ સંબંધી) વિચાર લંબાતા એના ઉપરથી અનુક્રમે આત્મા છે, કર્મ,...” છે. જીવ અનેક પ્રકારના પરિણામ કરીને કર્મ બાંધે છે. એ કર્મના ફળમાં આ લોક સિવાયના પરલોક વગેરે પણ હોવા યોગ્ય છે. ભાગ્યસ્થાનો. પરલોક એટલે ભોગ્યસ્થાનો. આ જીવ કર્મ બાંધે છે. તે કર્મ બાંધે છે એને ભોગવવાના સ્થાનો છે. એ કર્મની નિવૃત્તિ પણ થઈ શકે છે. એને મોક્ષ કહે છે. એ વગેરે ભાવોનું અથવા એ વગેરે પદનું સ્વરૂપ સિદ્ધ થયું હોય એમ જણાય છે. આ જે વિચારણા લંબાણી એ વિચારણામાંથી આત્મા, કર્મ, કર્મના ભોગવવાના સ્થાનો, કર્મની નિવૃત્તિ આ બધી વાતો જે કાંઈ બહાર આવી છે, પ્રસિદ્ધ થઈ છે, એ પ્રસિદ્ધ થવાના મૂળમાં જીવોને દુઃખ થાય છે એ દુઃખ કેમ થયું અને એ દુઃખ કેમ મટે ? આ કેન્દ્રસ્થાનમાં રાખીને આ બધી વાતો સાબિત થઈ, પ્રસિદ્ધ થઈ, સિદ્ધ થઈ એમ લાગે છે, એમ જણાય છે. હવે બહુ General વાત કરી છે એમણે. એક વિશાળ વિચારધારામાંથી એ વાતનો પોતે ન્યાય કાઢ્યો છે. કોઈપણ વિચારવાન જીવને દુઃખ નથી જોઈતું. બુદ્ધિમાન જીવે છે. દુઃખ તો કોઈને જોઈતું નથી. બધા અનુકૂળ સંયોગો હોય. ઘરમાં જુવાન માણસ હોય એ ચાલ્યો જાય. અને બધું સરખું ચાલતું હોય. ઓચિંતું આવું બની જાય અને નહિ ધારેલું દુઃખ માણસને આવી પડે. એટલું બધું દુઃખ લાગે... એટલું બધું દુઃખ લાગે કે જાણે બધા સુખના સંયોગો એની પાસે કાંઈ નથી. એમાં ઉપરાઉપરી એવું બનવા માંડે પછી શું દશા થાય? આ તે શું કારણ છે ? કાંઈ સમજાતું નથી. અને કાંઈ ન હોય એમાંથી થવા માંડે. ત્યારે એણે માનવું પડે છે કે નક્કી કાંઈક આવું કારણ પોતે ભૂતકાળની અંદર ઉપામ્યું હોવું જોઈએ કે જેનું ફળ આવે છે. તો એને કર્મ માનવું પડે છે, કર્મનો ભોગવટો માનવો પડે છે. અને આ દુઃખની નિવૃત્તિ, દુઃખમાંથી મુક્ત થવું એવો ઉપાય શોધવો, એ ઉપાય પણ શોધી શકાય છે. પ્રાપ્ત
SR No.007188
Book TitleRaj Hriday Part 13
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy