SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રાંક-૬૪૫ ૫૧ પત્રાંક-૬૪૫ મુંબઈ, આસો વદ ૧૧, ૧૯૫૧ પરમનૈષ્ઠિક, સત્સમાગમ યોગ્ય, આર્ય શ્રી સોભાગ તથા શ્રી ડુંગર પ્રત્યે, શ્રી સાયલા યથાયોગ્યપૂર્વક:- શ્રી સોભાગનું લખેલું પત્ર મળ્યું છે. સમજ્યા તે શમાઈ રહ્યા,” તથા “સમજ્યા તે સમાઈ ગયા, એ વાક્યમાં કંઈ અર્થાતર થાય છે કે કેમ ? તથા બેમાં ક્યું વાક્ય વિશેષાર્થવાચક જણાય છે ? તેમ જ સમજવા યોગ્ય શું ? તથા શમાવું શું? તથા સમુચ્ચયવાક્યનો એક પરમાર્થ શો ? તે વિચારવા યોગ્ય છે, વિશેષપણે વિચારવા યોગ્ય છે, અને વિચારગત હોય તે તથા વિચારતાં તે વાક્યોનો વિશેષ પરમાર્થ લક્ષગત થતો હોય તે લખવાનું બને તો લખશો. એ જ વિનંતિ. સહજાત્મસ્વરૂપે યથા. ૧. જુઓ આંક ૬૫૧ તા. ૧૬-૩-૧૯૯૧, પત્રાંક – ૬૪૫ અને ૬૫૧ પ્રવચન નં. ૨૯૧ પત્ર નાનો) હોવા છતાં એમાંથી પાંચેક પ્રશ્નો કાચા છે. પરમાર્થ લગભગ બંને વાક્યનો સરખો છે. તોપણ પોતે પાંચ પ્રશ્નો ઉઠાવ્યા છે. એક મુદ્દો હાથ ઉપર આવે છે. સામે આવે છે તો સામે આવેલી વાતને કેટલી સૂક્ષ્મતાથી અને કેટલા પડખાંથી પોતે વિચારે છે એ આ એક દૃષ્ટાંતમાંથી નીકળે છે. ઉત્તર છે. આ બધા પ્રશ્નોનો ઉત્તર પોતે આપ્યો છે. “સોભાગભાઈ એ શું ઉત્તર આપ્યો હશે ? એ તો “સોભાગભાઈનો પત્ર વાંચવા મળે ત્યારે સમજાય. એમણે પોતે આસો વદ ૧૧ જે ૬૪૫મો પત્ર લખ્યો છે. ત્યારપછી ૬૫૧માં પત્રમાં પોતે જ એ પ્રશ્નોના ઉત્તર આપ્યા છે. એટલે વિશેષપણે ત્યાંથી આપણે વિચારશું. અત્યારે તો આ માત્ર પત્રની અંદર પ્રશ્નો પૂછ્યા છે. અને એ પ્રશ્નમાં પરમાર્થ બંનેનો
SR No.007188
Book TitleRaj Hriday Part 13
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy