SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રાંક-૬૪ થાય? પાર વગરની ગડબડ થાય. એક વિચાર આવ્યો હતો કે જેમ સમ્યગ્દર્શન થાય છે ત્યારે અકર્તાપણું થાય છે. એટલે કર્તવ્ય કરાય છે અને અકર્તવ્ય જીવ નથી કરતો. એમ દૃષ્ટિ જીવ કર્તવ્યને કરવા યોગ્યને કરે છે, નહિ કરવા યોગ્યને નથી કરતો. અને છતાં એમાં એને કર્તાપણું નથી. બરાબર ? એવી એક મોક્ષમાર્ગની જે Line છે એ સહજતાની Line છે. હવે મુમુક્ષુને સમ્યગ્દર્શન થયા પહેલા કર્તાપણું હોય છે. તો એ કર્તાપણું પણ કેવું હોય છે એનો એક પ્રકાર જુદો છે કે જે અકર્તાપણા સાથે મેળ ખાય છે. કેવી રીતે ? જો કોઈપણ મુમુક્ષજીવને આ ધ્યેય બંધાય જાય તો એને સ્વરૂપ પ્રાપ્તિની આત્મભાવના કરવી એમ કર્તુત્વભાવે ન થાય, લગની લગાડવી એમ કર્તુત્વભાવે ન થાય, જાગૃતિ રાખવી એમ કર્તુત્વભાવે ન થાય. સહેજે સહેજે એ પ્રકારના પરિણામ થવા લાગે. એક ધ્યેયને વશ આ બધા પરિણામ આપોઆપ થાય, Automatic થાય. મુમુક્ષતાની ભૂમિકામાં છેક સ્વરૂપનિશ્ચય સુધી પહોંચે, આત્માની ઓળખાણ સુધી પહોંચે ત્યાં સુધીના બધા પરિણામ Automatic થાય. કર્તબુદ્ધિએ કરવા પડે અને ન થાય. એની જોકે કર્તબુદ્ધિ ગઈ નથી. કર્તા બુદ્ધિ નથી ગઈ એટલે શું છે ત્યાં સૂક્ષ્મ કર્તાબુદ્ધિ ? કે જે રાગભાવો થાય છે તો એમાં એકત્વ થાય છે. અને જ્યાં કર્તાકમપણું છે ત્યાં ઐકયપણું છે, જ્યાં ઐક્યપણું છે ત્યાં કર્તાકર્મપણું અવશ્ય છે. એ પ્રકારનું કર્તુત્વ છે. પણ મારે આ કરવું જોઈએ માટે હું કરું, મારે આ કરવું જોઈએ માટે હું કરું. મારે આ કરવું જોઈએ માટે હું કરું. એવી રીતે કર્તુત્વ ન થાય. એને સહેજે સહેજે થાય. એવી સહજતાનો જે એક પ્રકાર છે એ પ્રકાર આગળ વધીને સમ્યગ્દર્શનથી, જ્યારથી સમ્યગ્દર્શન થાય ત્યારથી સહજ અકર્તાપણામાં પરિણમી જાય છે અને એ સહજતા સ્વભાવિક સહજતામાં ઉત્પન્ન થઈ આવે છે. ત્યારથી એને સ્વભાવિક સહજતા કહેવામાં આવે છે. એમ જે અકર્તુત્વ દશા થઈ, અકર્તાપણું જે મોક્ષમાર્ગમાં શરૂ થયું. એની સાથે શરૂઆતથી જ મુમુક્ષતાનું મેળવાળું પરિણમન છે. એને ખરેખર શરૂઆત થઈ એમ કહેવાય. બાકી શરૂઆત નથી. એકડા વગરના બધા મીંડા છે. શરૂઆત નથી, વાસ્તવિક શરૂઆત નથી. મુમુક્ષુ – કર્તુત્વના પરિણામ નિરસ થઈ જાય? પૂજ્ય ભાઈશ્રી – એ પ્રકાર જ બદલાય છે, ભાઈ ! એમાં શું છે કે હું મુમુક્ષુ
SR No.007188
Book TitleRaj Hriday Part 13
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy