SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રક-૬૮૭ ૪૭ થયું. સારું થયું. સારું થયું. એવો રાગ થવો. મૂળ શબ્દ એ છે તુષ્ટ થવું. જ્ઞાનીને તૃપ્તિ વર્તે છે. એ પણ ઝીણો વિષય છે, સૂક્ષ્મ વિષય છે. પણ સમજાય છે કે આને જગતની કોઈ અપેક્ષા નથી. અનાદિથી વિભિન્ન પ્રકારના જગતના પદાર્થો, જગતની વાતો અને જગતના પ્રસંગોની અપેક્ષામાં ઊભેલો જીવ, એ તો નિર્ણયપૂર્વકની અપેક્ષા છે કે આવી અપેક્ષા હોવી જ જોઈએ, આ અપેક્ષા મારી બરાબર છે, એવી જે અપેક્ષા. નિર્ણય પણ બદલાય ગયો છે, અપેક્ષા પણ રહી નથી. એને લઈને જે પરિતોષપણું વર્તે છે, એમનું મુક્તપણું-ભિન્નપણામાં મુક્તપણે વર્તે છે, પરિતોષપણું વર્તે છે. એક પત્રમાં ત્રણ શબ્દો એક જગ્યાએ લીધા છે. મુક્તપણું, પરિતોષપણું અને ભિન્નપણું. એનાથી પણ ઉત્કૃષ્ટ પાત્રજીવને એ લક્ષણોથી જ્ઞાની ઓળખાય છે. મુમુક્ષુ - ૩૮૫ પત્ર. પૂજ્ય ભાઈશ્રી :- ૩૮૫ છે ? પાનું-૩૩૬. નીચેથી પહેલો Paragraph છે એની છેલ્લી લીટી. એ જ વાત છે. માત્ર પ્રસંગની મયદા ઉપરાંત લોકોનું જ્ઞાન નથી, એટલે....” ઉદયની મર્યાદાથી ઉલંઘીને લોકોનું જ્ઞાન નથી. એટલે કાલે એ વાત આપણે લીધી હતી કે રીત જોવાની એ છે કે ફક્ત મારે જ્ઞાનીપણું જોયું છે. કયા પ્રસંગમાં, કયા સંયોગમાં, કયા પરિગ્રહમાં જ્ઞાની ઊભા છે, એ જોવું નથી. અને સંયોગ જોવા જાય તો તો તીર્થકરને સૌથી વધારે પરિગ્રહ દેખાશે. કેમકે સમવસરણનો વૈભવ બહુ મોટો છે. અને એમણે તિલતુષમાત્ર પરિગ્રહ તો મુનિદશાથી છોડેલો છે. પણ માત્ર જ્ઞાનીપણું જોવું છે, એવી રીતે જે જોવે છે તે, ઉત્કૃષ્ટપાત્રતામાં આવીને, એ રીત છે. એને આ બધા લક્ષણો ઓળખાય છે. એટલે પોતાની જેવી તે પ્રસંગને વિષે દશા થઈ શકે તેવી દશા,” નો દૃષ્ટિકોણ જેણે છોડી દીધો છે. માત્ર જ્ઞાનીપણે ઓળખવા માટેનો દૃષ્ટિકોણ જેણે ધારણ કર્યો છે. આ રીત છે. એ જ્ઞાનીને વિષે કાંઈ પણ કલ્પના કરે છે, એવી કલ્પના એ આડશ છે અને જ્ઞાનીને ઓળખવા માટેની આ આડશ છે. એ કલ્પના જ્ઞાનીનું પરમ એવું જે આત્મપણું” લ્યો ! આત્મપણું શબ્દ લીધો છે. ભિન્નપણું નથી લીધું પણ બીજું પડખું-આત્મામાં આત્મપણું અથવા આત્મામાં અભેદપણું. લ્યો, એ પણ પ્રતિપાદનની અંદર વિષય આવે છે. આના તો ઘણાં પડખાં છે. કે જ્ઞાની અનેક ભેદ-પ્રભેદથી વસ્તુના સ્વરૂપનું પ્રતિપાદન કરતા હોય તોપણ એની અંદર અભેદતાનો ધ્વનિ સળંગ રહેલો હોય છે. આ ભેદોથી જે
SR No.007188
Book TitleRaj Hriday Part 13
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy