SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૩ પત્રાંક-૬૮૭ તે મૂંગી જગ જોવે રે.” એમ ચટકાવે છે. ઉત્કૃષ્ટ મુમુક્ષુ હોય, મુમુક્ષુ હોય એને જ્ઞાની ચટકાવે છે-જાગૃત કરે છે. પોતે જાગૃતિમાં ઊભા છે એટલે જાગૃત કરે છે. એવું જે જાગૃત થનારને સામાની જાગૃતિનું અનુસંધાન થાય છે, એ એક જાગૃત ભાવોની Inter link છે. અંદરનું જોડાણ છે, અંદરનો આંતરયોગ છે. ભાવોનો આંતરયોગ જેને કહેવાય. કહેનાર જાગૃત છે, સાંભળનારને જાગૃતિમાં લાવે છે. એની મોહનિંદ્રા ઉડાડે છે. એને એમ થાય છે કે મારી મોહનિંદ્રાને આ ઉડાડે છે. એવો જે પ્રકાર છે એ પણ એક વિલક્ષણ પ્રકાર છે કે જેનાથી એ જ્ઞાનીની જાગૃતદશાને સમજે છે અને સમજનારને જાગૃતિ પાછી આવે છે. એટલે એ ઓળખે છે. માત્ર બહિર્લક્ષી ક્ષયોપશમથી ઓળખવાનો વિષય નથી. એમાં અંદર (Undertone) શું છે ? કે સામસામો નિમિત્તનૈમિત્તિક સંબંધ ભજે છે એટલે એ ઓળખવાનું ફળ પણ મહત્ છે. એમ કહ્યું ને ? મહતું ફળ છે. મહતું ફળ એટલે? એનું (ફળ) નિર્વાણપદ છે. જ્ઞાનીને ઓળખવાનું ફળ નિર્વાણપદ છે. સમ્યગ્દર્શન નથી લીધું, નિર્વાણપદ લીધું છે. જેના ફળમાં નિર્વાણપદ આવે એને એનો સંબંધ ઓળખવામાં કેવી રીતે થાય ? કે ચૈતન્યની જાગૃતિમાં ઊભેલા હોય એ ઓળખનારને પણ જાગૃતિને અટકાવે છે. આ તો મને અટકાવે છે એમ લાગે. મને જાગૃત કરે છે, મને અટકાવે છે. નક્કી જ્ઞાની છે. આમાં કાંઈ શંકા પડે એવું નથી. એને શંકા નથી પડતી. ભલે ગમે તે ઉદયમાં ઊભા હોય. એ નજર બંધ કરી દીધી છે. એણે એ આંખ જ બંધ કરી દીધી છે. એ સિવાય પણ જ્ઞાનીની સરળતા છે એ અછાની ન રહે. કેમકે અલૌકિક સરળતાથી, લોકોત્તર સરળતાથી સમ્યગ્દર્શન થયું છે. સમ્યગ્દર્શનની વિરુદ્ધ જે પ્રકૃતિ છે એ માયાની પ્રકૃતિ છે. માયા કહો કે અસરળતા કહો. માયા કહો કે અસરળતા કહો. એની વિરુદ્ધ પ્રતિપક્ષમાં સરળતા છે અને સરળતાના કોઈ અલૌકિક ઉત્કૃષ્ટ તબક્કે સમ્યગ્દર્શન છે. એટલે જ્ઞાનીપુરુષની સરળતા છે એ પણ કોઈ લોકોત્તર સરળતા હોય છે. એ લક્ષણ પણ જ્ઞાની પુરુષમાં, સત્પષમાં જોવા મળે છે. મધ્યસ્થતા પણ એમનું એવું જ લક્ષણ છે. આ એક સમ્યજ્ઞાનનો ધર્મ છે કે કોઈપણ પ્રસંગ જ્ઞાનમાં આવે તો જ્ઞાની મધ્યસ્થ થઈને વિચારે છે, પૂર્વગ્રહમાં રહીને વિચારતા નથી. મધ્યસ્થ રહે. મધ્યસ્થ એટલે શું ? જે જેમ છે તે તેમ જોવું. પણ
SR No.007188
Book TitleRaj Hriday Part 13
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy