SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ રાજહૃદય ભાગ-૧૩ પહેલાનો પત્ર છે. પરસ્પરનો પરિચય ઘણો છે. આપસનો પરિચય ઘણો છે. એટલે આ વિશેષણ એક વર્ષ પહેલા વાપરેલું છે- “આત્મનિષ્ઠ.' ફાગળ વદ ૬ના કાગળમાં લખેલા પ્રશ્નોનું સમાધાન આ કાગળમાં સંક્ષેપથી લખ્યું છે, તે વિચારશો.” આ પત્રની અંદર એમણે છ મુદ્દા ઉપર એક એક મુદ્દાનો આંક બાંધીને વિસ્તારથી પત્ર લખ્યો છે અને એક એક વિષય જુદો જુદો આની અંદર ચાલ્યો છે. પણ મહત્વનો વિષય બીજા નંબરના મુદ્દામાં ... વિષય ચાલ્યો છે. મુમુક્ષુ માટે. ૧. જે જ્ઞાનમાં દેહાદિ અધ્યાસ મટ્યો છે, અને અન્ય પદાર્થને વિષે અહંતા મમતા વર્તતાં નથી, તથા ઉપયોગ સ્વભાવમાં પરિણમે છે, અર્થાત્ જ્ઞાન સ્વરૂપપણું ભજે છે, તે જ્ઞાનને નિરાવરણશાન” કહેવા યોગ્ય છે.” નિરાવરણ જ્ઞાનની પરિભાષા કરીને એનું સ્વરૂપ દર્શાવ્યું છે. જે જ્ઞાન આત્માને જાણવામાં અસમર્થ હોય, અશક્ત હોય અથવા અયોગ્ય હોય તે જ્ઞાનને આવરણવાળું જ્ઞાન કહ્યું છે. ભલે પછી એ જ્ઞાન અગિયાર અંગ અને નવ પૂર્વના ઉઘાડવાળું હોય તોપણ. “જો હોય પૂર્વ ભણેલ નવ પણ, જીવને જાણ્યો નહીં, તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં” ... નવ પૂર્વ એટલે અગિયાર અંગ અને બારમા અંગના નવ પૂર્વ...માં તો.. અગિયાર અંગને અધ્યાર રાખી દીધા. નવ પૂર્વ એટલે અગિયાર અંગ + નવ પૂર્વ. બારમાં અંગમાં ચૌદ પૂર્વ છે એમાંથી નવ પૂર્વ સુધી મિથ્યાત્વ અવસ્થાનો કાળ હોય છે. છેલ્લી હદનો વધુમાં વધુ કાળ. પણ એને યાદ નથી રહેતુ અથવા તો એ આવરણવાળું જ્ઞાન છે. વિદ્વાન હોય તો આગમના સિદ્ધાંત પ્રમાણે એના પ્રશ્નો . કે આને તો ઘણું આવરણ નથી . અગિયાર અંગ અને નવ પૂર્વનો ઉઘાડ છે. બીજાને તો જ્ઞાનનો દરિયો દેખાય. સામાન્ય માણસને તો મોટો જ્ઞાનનો દરિયો લાગે. અને આને આવરણવાળુ જ્ઞાન કહે. જે જ્ઞાનમાં દેહાદિ અધ્યાસ મચ્યો છે...” એ તિર્યંચ હોય. મનુષ્ય હોય એને નવ તત્ત્વના નામ યાદ ન રહેતા હોય. ભાવ બરાબર સમજાતો હોય તો એ નિરાવરણ જ્ઞાન છે. અને પેલું આવરણવાળું જ્ઞાન છે. આ તો એ જાતનું. અહીં આટલો પ્રશ્ન ઊઠે તો અહીંયાં અધ્યાત્મનો વિષય છે. સામાન્ય રીતે કર્મનું આવરણ, કર્મનો ક્ષયોપશમ કોઈ કરણાનુયોગના આગમનો પણ ગ્રંથ છે. અને કરણાનુયોગના સિદ્ધાંત અનુસાર તો પ્રશ્ન યોગ્ય છે અને પ્રશ્ન ઉઠે એ વ્યાજબી છે. પણ અહીંયાં એ પ્રકરણ નથી એમ સમજવાનું છે. અહીંયાં અધ્યાત્મનું પ્રકરણ છે.
SR No.007188
Book TitleRaj Hriday Part 13
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy