SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રાંક-૬૮૭ ઘણી ચર્ચાઓ ચાલી છે. એ વિષય છે. ‘કરવા પ્રત્યે વૃત્તિ નથી...' શું કરવા પ્રત્યે ? વ્યવહારની પ્રવૃત્તિ, વ્યવસાયની પ્રવૃત્તિ અથવા ઉદયમાન સંસારિક કાર્યોની પ્રવૃત્તિ કરવા પ્રત્યે જેની વૃત્તિ નથી એટલે રસ નથી. વૃત્તિમાં શું ? રસ નથી. અથવા એક ક્ષણ પણ જેને કરવું ભાસતું નથી....’ એટલે એક ક્ષણ પણ એ કર્તવ્ય છે, બીજા ક્ષણે છોડી દેવું. પહેલે ક્ષણે એ કર્તવ્ય છે એમ એ કરવા યોગ્યપણે પણ જેને ભાસતું નથી. તેમ છતાં પ્રવૃત્તિ ‘કરવાથી ઉત્પન્ન થતાં ફળ પ્રત્યે જેની ઉદાસીનતા છે,' એટલે વેપાર કરતા પૈસાની કમાણી થાય. શું થાય ? પ્રવૃત્તિ કરતા નફો થાય તો એ પ્રવૃત્તિ કરવાથી ઉત્પન્ન થતાં ફળ પ્રત્યે જેની ઉદાસીનતા છે,...’ જ્ઞાની કેવા હોય છે એની વાત કરે છે. . ૪૨૧ તેવા કોઈ આપ્તપુરુષ તથારૂપ પ્રારબ્ધયોગથી પરિગ્રહ સંયોગાદિમાં વર્તતા દેખાતા હોય,...’ (વેપારમાં પૈસાની કમાણી થતી હોય તો એમ જોવે છે) કે એથી મારા આત્મામાં કાંઈ મળ્યું નથી. તેવા કોઈ આપ્તપુરુષ...' આપ્તનો અર્થ થાય છેપારમાર્થિક વિષયમાં જેના ઉપર વિશ્વાસ મૂકી શકાય. પરમાર્થ એટલે આત્મકલ્યાણ. આત્માના કલ્યાણના વિષયમાં જેના વચનો ઉપર વિશ્વાસ મૂકી શકાય એવા જે વિશ્વાસને યોગ્ય હોય, વિશ્વસનીય જેને કહેવામાં આવે છે. એવા પુરુષને આપ્તપુરુષ કહેવામાં આવે છે. જૈનદર્શનમાં આપ્તપુરુષનો મુખ્ય અર્થ અરિહંતદેવને કરવામાં આવ્યો છે. અરિહંતદેવને આપ્તપુરુષ ગણ્યા છે. કેમકે અરિહંતદેવ સંપૂર્ણ નિર્દોષ થયા છે, સંપૂર્ણ વીતરાગ થયા છે. જેમને રાગનો પણ એક અંશ નથી અને જેમને અજ્ઞાનનો પણ એક અંશ નથી. વિપરીત જ્ઞાનનો પણ એક અંશ નથી અને અલ્પજ્ઞત્વનો પણ જેને એક અંશ નથી. એવા જે સંપૂર્ણ નિર્દોષ થયા છે તેમના વચન ઉપર અવિશ્વાસ કરવા માટે કોઈ જગ્યા નથી, અવકાશ નથી કે એમના વચનો ઉપ૨ અવિશ્વાસ કરી શકાય. એટલે અરિહંત તીર્થંકરદેવને આપ્તપુરુષ કહેવામાં આવ્યા છે. પછી બીજો નંબર આવે છે નિથગુરુનો. એ પણ આપ્તપુરુષ છે અને ત્રીજો નંબર આવે છે સત્પુરુષનો-જ્ઞાનીપુરુષનો. સ્વાનુભવ સંપન્ન જે છે એમનો કે જેમના વચનો આત્મકલ્યાણ માટે વિશ્વાસ મૂકવા યોગ્ય છે. આત્મકલ્યાણના વિષયમાં તેઓએ અનુભવથી આત્મકલ્યાણને સિદ્ધ કર્યું હોવાથી, સિદ્ધ નામ પ્રાપ્ત કર્યું હોવાથી, એ રસ્તાના તેઓ અજાણ નહિ હોવાથી, એ રસ્તાના તેઓ અજાણ નહિ હોવાથી એમના વચનો ઉપ૨ વિશ્વાસ મૂકવા યોગ્ય છે. એટલે એમને આપ્તપુરુષ કહેવામાં આવે છે. આ
SR No.007188
Book TitleRaj Hriday Part 13
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy