SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રક-૬૭૯ ૩૮૧ થાય ! એવું સમર્થ હોય ! તો એને કાંઈક વિચારમાં આવે અને બાહ્યદૃષ્ટિવાળાઓને એ બાજુ આકર્ષણ થાય. એટલા પૂરતી એ વાતને વારંવાર પણ કહેવામાં આવી છે. અત્રે શ્રી ડુંગરે કેવળ-કોટી’ સર્વથા એમ કહી છે, એવું કહેવું યોગ્ય નથી.” કેવળજ્ઞાનને છોડીને કેવળકોટી જ માત્ર કહેવી એ યોગ્ય નથી. કેવળકોટી એટલે કેવળજ્ઞાન પ્રાપ્ત કરવાની કક્ષામાં કોઈ જીવો આવી જાય છે. એવું થાય છે. કેવળજ્ઞાન-બેવળજ્ઞાન જેવું કાંઈ છે નહિ, એવું કાંઈક સ્થાનકવાસીમાં પ્રતિપાદન હશે. એવું કહેવું યોગ્ય નથી.” અમે અંતરાત્મપણે પણ તેવું માન્યું નથી. જે કેવળકોટીનો અર્થ તારવે છે એવો અમારો આત્મા સ્વીકારતો નથી. અમે માન્યું નથી એમ ન કીધું, અમે એવું માનતા નથી એમ ન કહ્યું. “અમે અંતરાત્મપણે પણ એવું માન્યું નથી. અમારો જે અંતરાત્મા છે, અંતર્મુખ થયેલો જે આત્મા છે એ આત્મા કેવળકોટીને કેવળજ્ઞાનની સાથે સ્વીકારતો નથી. કેવળકોટીની વાત જુદી છે, કેવળજ્ઞાનની વાત જુદી છે, એમ કહે છે. કેમકે એમની પોતાની હયાતીમાં આવા તત્ત્વજ્ઞાન વિષયક પત્રો છે એ એક મુમુક્ષ, બીજા મુમુક્ષુ, ત્રીજા મુમુક્ષની વચ્ચે નકલો કરીને એનો સ્વાધ્યાય કરે અને એ રીતે Circulate થતા હતા. અને એમની આજ્ઞાથી થતા હતા. એમને પૂછીને કરતા હતા. પૂછ્યા વગર નહિ. કોઈ વખત કોઈ પત્ર એવો હોય તો કોઈના માટે પ્રતિબંધ પણ કરતા હતા કે હાલ તુરત તમારા આટલાએ જ વાંચવો અને બીજાએ આ પત્ર ન વાંચવો. પણ હાલ તે પ્રશ્નનું સમાધાન કરવા વિષે જેટલું મૌન રહેવાય તેટલું ઉપકારી છે એમ ચિત્તમાં રહે છે. કેમકે એ પ્રશ્ન હજી બીજા ઘણા પ્રશ્નનો ઉકેલ કર્યા પછી કેવળજ્ઞાનનો પ્રશ્ન હાથમાં લેવા જેવો છે. એટલે અત્યારે તો મૌન રહેવાય તો વધારે સારું એમ પણ રહે છે. બાકીના પ્રશ્નોનું સમાધાન સમાગમ ધારશો.” એટલે એમણે છ પ્રશ્નોના ઉત્તર આમાં આપ્યા છે. અને એ સિવાય પણ એમણે પ્રશ્ન લખ્યા હશે. ફાગણ વદ ૬ના પત્રની અંદર. એમાં છ પ્રશ્નના ઉત્તર આપ્યા છે. બાકીના પ્રશ્નોનું સમાધાન સમાગમ ધારશો.’ રૂબરૂમાં તમે કરશો. એમ કરીને બીજા પ્રશ્નોનો ઉત્તર નથી આપ્યો. એ ૬૭૯મો પત્ર બહુ વિસ્તારથી આવ્યો છે. અને એમાં મુખ્યપણે જે બીજા પ્રશ્નનો ઉત્તર આપ્યો છે એ મુમુક્ષુ જીવને વર્તમાનમાં ઘણો પ્રયોજનભૂત છે. જ્ઞાનીની વાણી કેવી હોય, અજ્ઞાનીની વાણી કેવી હોય અને જ્ઞાની પણ જ્ઞાનીની
SR No.007188
Book TitleRaj Hriday Part 13
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy