SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રક-૬૯ ૩૭૩ સામાન્ય જીવોથી થવું અશકય જાણીને કહ્યું છે...' કયો અપૂર્વ વિષય છે ? આત્મસ્થિતિ અને આત્મસમાધિ એવો જે અપૂર્વ વિષય છે, અંતર્મુખનો વિષય છે, એ અંતર્મુખપણાનો વિષય સામાન્ય જીવોથી ગ્રહણ થવો અશક્ય જાણીને એને કેવળજ્ઞાનનું બાહ્ય અંગ દર્શાવ્યું છે. એક કેવળજ્ઞાનની પર્યાયનો વિચાર કરવામાં આવે તો એના બે અંગ છે. એક એનું બહિરંગ છે એ લોકાલોક પ્રકાશક છે. એનું અંતરંગ છે તે કેવળ આત્મસ્થિરતા અને આત્મસમાધિ નિરવશેષ અંતર્મુખપણું એ એનું અંતરંગ છે. અંતરંગને જે જીવો નથી સમજી શકતા, કેમકે એ અજાણ્યા છે, એ વિષય પણ સૂક્ષ્મ છે અને અજાયો છે એટલે બીજા પદાર્થોને જાણે અને ઘણું જાણે એની જેમ મહત્તા છે. ગતમાં કોની મહત્તા છે ? ઘણું જાણે એની મહત્તા છે. થોડું જાણે એની એટલી મહત્તા નથી પણ ઘણું જાણે એની મહત્તા છે. કેવળી એક સમયમાં લોકાલોકને જાણે છે. એમ કરીને એને એ વિષયનું જ્ઞાન કરાવ્યું છે. કેમકે જગતના જ્ઞાન પર વિચાર કરતાં કરતાં આત્મસામર્થ્ય સમજાય.” એવા બાહ્ય દૃષ્ટિવાળાને પણ આત્માનું સામર્થ્ય સમજાવવા એમ કહે) કે જુઓ ! એક સમયમાં લોકાલોકને જાણે. કેટલું જ્ઞાનનું સામર્થ્ય ! કેટલું જ્ઞાનનું સામર્થ્ય ! પણ શાસ્ત્રકારે મુખ્યપણે એ વાત નથી કરી. મુખ્યપણે તો આત્મસમાધિની વાત કરી છે. શ્રી ડુંગર, મહાત્મા શ્રી ઋષભાદિને વિષે કેવળકોટી કહેતા ન હોય, અને તેમના આજ્ઞાવર્તી એટલે જેમ મહાવીરસ્વામીના દર્શને પાંચમેં મુમુક્ષુઓ કેવળજ્ઞાન પામ્યા તે આજ્ઞાવર્તીને કેવળજ્ઞાન કહ્યું છે, તે કેવળજ્ઞાન” ને કેવળ-કોટી' કહેતા હોય, તો તે વાત કોઈ પણ રીતે ઘટે છે. આ સંપ્રદાયની અંદર કેવળજ્ઞાન અને કેવળકોટી સંબંધીની કથા ચાલી હશે. “ઋષભદેવ ભગવાનને આમ હતું, “મહાવીર ભગવાનને અને એમના શિષ્યોને આમ હતું. તો એ વાત કાંઈક ભળતી છે. એમ કરીને એટલી સંમતિ પોતે આપી છે. આપણે સાંગોપાંગ કથા ન જાણીએ, પ્રસંગ ન જાણીએ ત્યાં સુધી એ વિષયનો પણ સરખો વિચાર ન થાય. એકાંત કેવળજ્ઞાનનો શ્રી ડુંગર નિષેધ કરે, તો તે આત્માનો નિષેધ કરવા જેવું છે. આત્માના કોઈપણ નિશ્ચય ગુણધર્મનો નિષેધ કરવામાં આવે તો એક અંશનો નિષેધ થતા અંશીનો પણ નિષેધ થઈ જાય છે. એ ન્યાયે, એ સિદ્ધાંતે જો કેવળજ્ઞાનનો એકાંતે નિષેધ કરવામાં આવે તો એના આત્માનો નિષેધ કરવા જેવું છે. લોકો હાલ કેવળજ્ઞાનની જે વ્યાખ્યા કરે છે તે કેવળજ્ઞાનની વ્યાખ્યા
SR No.007188
Book TitleRaj Hriday Part 13
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy